ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ 30 ડિસેમ્બરથી શરૂ થશે.જોકે ટીમ ઈન્ડિયા તેના નવા કેપ્ટન શુભમન ગિલ વિના રમશે જે ઈજાને કારણે મેદાનથી બહાર છે.કોલકાતા ટેસ્ટ મેચમાં ગિલને ગરદનની ઈજા થઈ હતી.જેના કારણે તે ટેસ્ટ અને વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો.પરંતુ શું તે T20 સીરિઝમાં પાછો ફરી શકશે? મીડિયા રિપોર્ટ અનુસાર ગિલ 10 ડિસેમ્બરથી શરૂ થનારી સીરિઝ માટે પાછો ફરી શકે છે.દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વાપસીની ખૂબ નજીક છે.
ગિલ ઝડપથી રિકવરી થઈ રહ્યો છે
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવા કેપ્ટન શુભમન ગિલની ઈજામાં પણ સુધારો થઈ રહ્યો છે.ગિલની રિકવરી ઝડપથી આગળ વધી રહી હોય તેવું લાગે છે.જેના કારણે T20 સીરિઝમાં રમવાની તેની શક્યતા વધી રહી છે.આ સીરિઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે અને તેમાં પાંચ મેચનો સમાવેશ થશે.ગિલની ફિટનેસ અંગે ચિંતાઓને કારણે પસંદગી સમિતિએ આ સીરિઝ માટે ટીમની પસંદગી મોકૂફ રાખી હતી.
હાર્દિકને CoE તરફથી રજા મળશે
ગિલ ઉપરાંત,ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે વાપસીની ખૂબ નજીક હોય તેવું લાગે છે. હાર્દિકને એશિયા કપ 2025 ની ફાઇનલ પહેલા ઈજા થઈ હતી અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. તે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે રિકવરી અને રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. એવું માનવામાં આવતું હતું કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંની શરૂઆતમાં પાછો ફરશે,પરંતુ એવું બન્યું નહીં.હવે એવા અહેવાલ છે કે તેને આગામી બે દિવસમાં CoEમાંથી રજા આપવામાં આવશે અને તે મુશ્તાક અલી ટ્રોફી માટે પાછો ફરશે.
T20 વર્લ્ડ કપ પહેલા આ સીરિઝ મહત્વપૂર્ણ
જો હાર્દિક આ ટુર્નામેન્ટમાં પોતાની ફિટનેસ સાબિત કરશે, તો તેને દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની તક મળશે. એશિયા કપમાં થયેલી ઈજાને કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ચૂકી ગયો હતો. જોકે, દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં તેની વાપસી મહત્વપૂર્ણ રહેશે કારણ કે તે ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તાકાતથી તૈયારીઓ શરૂ કરી શકશે.
આ પણ વાંચો -KL Rahul સામે સીરિઝમાં મોટો પડકાર, જાણો વન-ડેમાં રેકોર્ડ


