હાર્દિક પંડ્યાના વાપસી અંગે સારા સમાચાર છે.તે 2025-2026 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મોટાભાગની ગ્રુપ સ્ટેજ મેચોમાં રમશે,બરોડા ટીમના મુખ્ય કોચે પુષ્ટિ આપી છે.ઓલરાઉન્ડર હાર્દિક એશિયા કપ દરમિયાન ઘાયલ થયો હતો.જેના કારણે તે પાકિસ્તાન સામે ફાઇનલમાં રમી શક્યો ન હતો.સફેદ બોલ ક્રિકેટમાં મેચ વિજેતા ખેલાડી હાર્દિક પંડ્યા,શ્રીલંકા સામે એશિયા કપની અંતિમ સુપર ફોર મેચમાં ઘાયલ થયો હતો.ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે તે ફાઇનલમાંથી બહાર થઈ ગયો.ત્યારથી તે સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી.
હાર્દિક પંડ્યા ક્યારે પાછો ફરશે?
અહેવાલો અનુસાર, બરોડા ટીમના મુખ્ય કોચ મુકુંદ પરમારે પુષ્ટિ આપી છે કે હાર્દિક પંડ્યા 2025-2026 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મોટાભાગની ગ્રુપ સ્ટેજ મેચો માટે ઉપલબ્ધ રહેશે. તેનો ભાઈ, કૃણાલ પંડ્યા, આ ટીમનો કેપ્ટન છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 26 નવેમ્બરથી શરૂ થાય છે. બરોડાની પહેલી મેચ બુધવાર, 26 નવેમ્બરના રોજ બંગાળ સામે છે. બરોડાનો બીજો મુકાબલો શુક્રવારે પુડુચેરી ક્રિકેટ ટીમ સામે છે. હાર્દિક પંડ્યા પહેલી નહીં તો બીજી મેચમાં રમી શકે છે.ટી20 વર્લ્ડ કપ 2026 ને લઈને ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર છે. આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં રમાનારી છે. વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ આજે સાંજે 6:30 વાગ્યે જાહેર કરવામાં આવશે.
હાર્દિક પંડ્યાનું કરિયર
હાર્દિક પંડ્યાની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો,તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમી ચૂક્યો છે.તેણે 11 ટેસ્ટમાં 532 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે.94 વનડે અને 120 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, હાર્દિકે અનુક્રમે 1904 અને 1860 રન બનાવ્યા છે. તેણે 91 ની સરેરાશથી 98 વિકેટ લીધી છે.હાર્દિક પંડ્યા આઈપીએલ 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું નેતૃત્વ કરશે. તેણે પાછલી આવૃત્તિમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું.તેણે ગુજરાત ટાઇટન્સને આઈપીએલ ટ્રોફી અપાવી હતી. હાર્દિકે કુલ 152 આઈપીએલ મેચ રમી છે, જેમાં તેણે 2749 રન બનાવ્યા છે અને 78 વિકેટ લીધી છે.
આ પણ વાંચો -IPL2026 ઓક્શન પહેલા LSGએ એક મોટું પગલું ભર્યું,આ અનુભવી ખેલાડીને ટીમમાં કર્યો સામેલ


