- ATSની એક ટીમ દિલ્હીથી શ્રીલંકા એજન્સીના હતી સંપર્કમાં
- કોલંબોની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આતંકીના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની કરી ધરપકડ
- ઝડપાયેલ ચાર આતંકીઓ સાથે સંડોવણી ધરાવતા ગેરાડ ઓસ્માનની ધરપકડ
શ્રીલંકન પોલીસે પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સાથે સંબંધને કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચાર શ્રીલંકન નાગરિકોના આકા (હેન્ડલર)ની ધરપકડ કરી છે. કોલંબોમાં ગેરાર્ડ પુષ્પરાજા ઉસ્માનની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકન પોલીસે તેની ધરપકડમાં મદદગાર સાબિત થનારા વિશ્વસનીય જાણકારી આપનારાને 20 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. હેન્ડલરની ધરપકડ થતા તે ગુજરાતમાં કોને ટાર્ગેટ બનાવવાના હતા અને તે સિવાય અન્ય માહિતી પણ ખુલી શકે છે.
ચાર આરોપીઓની ધરપકડ
ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન ISIS આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરીક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યા તે એક સવાલ છે? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મુવમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાતATS દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.તેમની સાથે રહેલા મોબાઈલ તેમજ પાસપોર્ટની પણ માહિતી ચેક કરવામાં આવી છે,એક સાથે ચાર આંતકીઓ કઈ રીતે અને કઈ ફલાઈટમાં આવ્યા તેની માહિતી ઈમિગ્રેશન પાસેથી મેળવામાં આવી છે.
અગાઉ પણ પોરબંદરથી ગુપ્ત ઓપરેશ પાડયું હતુ પાર
આ અગાઉ પણ ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો ISIS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. તે સમયે ગુજરાત ATSને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં હતા. તેથી માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.
ઈસ્લામિક સ્ટેટ શું છે?
2003 દરમિયાન અમેરિકાના ઈરાક પરના આક્રમણ વખતે જોર્ડિયન જેહાદી અબુ મુસાબ-અલઝરકાવી અને તેના આતંકવાદી સંગઠન જમાત અલ-તાવહિદ વલ-જિહાદે ઈરાકની અશાંત પરિસ્થિતીનો ફાયદો ઉઠાવી આતંકવાદી હુમલાઓ વધારી દીધા. 2004માં ઝરકાવીએ ઓસામા બિન-લાદેન સાથે હાથ મિલાવી લીધા અને પોતાના સંગઠનને ‘અલ-કાયદા ઈન ઈરાક’ તરીકે ઓળખાવ્યું. જોકે, 2006માં અમેરિકાના હુમલા દરમિયા ઝરકાવી માર્યો ગયો. જે બાદ 12 ઓક્ટોબર 2006માં ઈરાકની મુજાહિદ્દીન શુરા કાઉન્સિલ અને 6 સુન્ની ટ્રાઈબ્સે સાથે મળીને ઈસ્લામનું ગૌરવ સ્થાપવા અલ્લાહના સમ ખાધા. જેના એક દિવસ બાદ તેમણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક(ISI)ની સ્થાપના કરી દીધી. 2010માં અબુ બક્ર અલ-બગદાદીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાકના આમિર અથવા તો વડો જાહેર કરવામાં આવ્યો.
આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા
પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા. મોબાઈલમાં અલગ અલગ વીડિયો મળ્યા જે સક્રિય સભ્ય બની ગયા હતા. પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા પાસેના ફોટા મળ્યા હતા. ત્યાં ફોટોમાં હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.રથયાત્રા પહેલા તમામને ઝડપવામાં આવ્યા.
પાકિસ્તાની વિઝા મળી આવ્યા મોહમ્મદ નુસરથ પાસેથી
ત્રણમાંથી બે પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 7-7 રાઉન્ડ તથા એક પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 6 રાઉન્ડ એમ કુલ 20 રાઉન્ડ રીકવર કરવામાં આવ્યા છે. જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ 3 પિસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવી હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ દરમિયાન મળી આવેલો બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલીડ વિઝા પણ ધરાવે છે.
2019માં ચારેયને પ્રતિબંધિત જાહેર કરાયા હતા
ચારેય શખસોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા. જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
હેન્ડલર અબુ પાકિસ્તાની છે
ટ્રાન્સલેટર મારફતે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે. તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવ્યું હતું કે, તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા તેનું લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઈ હથિયારો મેળવી લેવા અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.
શું મળ્યું આંતકીઓ પાસેથી
આંતકીઓ પાસેથી બે મોબાઈલ,4 પાસપોર્ટ,ભારત અને શ્રીલંકાનુ નાણું મળી આવ્યું છે.મોબઈલમાંથી ISISનો ઝંડો મળી આવ્યો છે.ફેબ્રુઆરી 2024માં અબુ કે જે મૂળ શ્રીલંકાનો અને અત્યારે પાકિસ્તાનમાં છે અને તેના સંપર્કમાં આવ્યા છે,આ ચારેય લોકો ઓનલાઈન અને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા હતા.ભારતમાં આતંકી કૃત્ય કરવા અબુએ પ્રોત્સાહન આપ્યુ હતુ.
કઈ રીતે એક બીજાનો સંપર્ક કરતા
અબુએ 4 લાખ રૂપિયા પણ આપ્યા.બે ફોન મળ્યા છે જેમા ફોટા અને વિડીયો છે જે સાબિતી મળે છે કે ISISના સક્રિય સભ્યો થયા હતા,ગેલેરીમાં ફોટા અને લોકેશન મળ્યા હતા અને નાના ચિલોડાનુ લોકેશન હતુ.3 પિસ્ટલ પર સ્ટાર બન્યુ છે.પાકિસ્તાનની બનાવટ હોવાની નિશાની છે.20 કારતુસ મળી આવી.આતંકી કૃત્ય કર્યા બાદ isisનો ઝંડો મુકવા કહ્યુ હતુ.Atsમા ipc UAPA અને આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.પ્રોટોન મેઈલ થઈ સંપર્ક કરતા હતા.


