- ગાંધીનગરમાં આવેલા ત્રણ ગેમ ઝોનને બંધ કરાવ્યા
- ગયા વર્ષે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહિતના નેતાઓની હાજરીમાં કર્યુ હતુ ઓપનિંગ
- ચિલોડા અને કુડાસણમાં પણ એક-એક ગેમઝોન બંધ કરાવ્યા
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા ત્રણ ગેમ ઝોનને વહીવટી તંત્રએ બંધ કરાવ્યા હતા. વહીવટી તંત્ર અને પોલીસે આજે રવિવાર હોવા છતાં તપાસ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા ત્રણ ગેમઝોન બંધ કરાવ્યા હતા. ફાઈવ ઈલેવન ગો-કાર્ટ બંધ કરાવ્યું હતું.
ગાંધીનગરમાં આવેલા આ ગેમઝોનને ગત વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન તેમજ ગૃહમંત્રીએ નેતાઓ અન કાર્યકરોની હાજરીમાં સત્તાવાર ઉદઘાટન કર્યું હતું. જો કે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 28નાં મોત બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. ચિલોડા અને કુડાસમાં આવેલા એક-એક ગેમ ઝોનને પણ તાત્કાલિક બંધ કરાયું હતું. મહત્ત્વનું છે કે, ગઈકાલે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં 28 લોકોનાં મોત થયા હતા. જે બાદ તંત્ર દ્વારા ગેમ ઝોનમાં ચેકિંગ અને સેફ્ટી અંગેની તપાસ શરૂ કરી હતી.


