- વડાપ્રધાન મોદીની ગરીબ અને મધ્યમવર્ગ માટે મોટી જાહેરાત: સી.આર.પાટીલ
- દેશની સુરક્ષાના નેતૃત્વની જવાબદારી મહિલાઓને આપી છે
- ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાની ગેરન્ટીનું સંકલ્પ પત્ર છે: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલે સંબોધન કર્યું છે. તેમાં ભાજપના મેનિફેસ્ટો અંગે સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સી.આર પાટીલે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીની ગરીબ અને મધ્યમવર્ગ માટે મોટી જાહેરાત છે. તેમાં ગરીબોને વધુ 5 વર્ષ માટે મફત અનાજની જાહેરાત છે. સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર યથાર્થ ઠેરવવા પ્રયત્ન કર્યું છે. મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. દેશની સુરક્ષાના નેતૃત્વની જવાબદારી મહિલાઓને આપી છે.
યુવાનો પર ભરોસો કરીને તેમને બેંકની લોન અપાવી છે
કોંગ્રેસના શાસનમાં આતંકી પ્રવૃત્તિ વધી હતી. યુવાનો પર ભરોસો કરીને તેમને બેંકની લોન અપાવી છે. PM આ દેશના ટેલેન્ટેડ યુવાનોની વ્હારે છે. અન્નદાતાને સન્માન આપવાનું કામ PM મોદીએ કર્યુ છે. ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 રૂપિયા જમા થાય છે. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા છે. આ દેશમાં એક જ ચૂંટણી હોવી જોઇએ. વન નેશન, વન ઇલેક્શન માટે PMએ સમિતિ બનાવી છે.
ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાની ગેરન્ટીનું સંકલ્પ પત્ર છે: ભૂપેન્દ્ર પટેલ
ભાજપના સંકલ્પ પત્ર અંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાની ગેરન્ટીનું સંકલ્પ પત્ર છે. જેમાં ચૂંટણી ઢંઢેરો નહીં પણ સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. 2047ના વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવા કામ કર્યું છે. વિકાસ અને જનકલ્યાણની મદદથી કામ કર્યું છે. ગુજરાત અને દેશમાં સુશાસનનો પાયો નંખાયો છે. ગુજરાતની જનતા તમામ 26 બેઠકો પર આશીર્વાદ આપશે. 26 બેઠકો પર કમળ ખીલશે તેવો વિશ્વાસ છે. દેશની 25 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢી છે.


