- અમદાવાદમાં 12 વાગ્યે રાજનાથસિંહ પ્રેસ કોન્ફરન્સ કરશે
- અમદાવાદમાં ઉત્તર ભારતીય સંમેલનમાં હાજરી આપશે
- આણંદમાં 4.30 વાગ્યે રાજનાથસિંહ જનસભા સંબોધશે
રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં સભા ગજવશે. જેમાં આણંદ, ભાવનગરમાં રાજનાથસિંહ પ્રચાર કરશે. તેમાં અમદાવાદમાં 12 વાગ્યે રાજનાથસિંહ પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમજ અમદાવાદમાં ઉત્તર ભારતીય સંમેલનમાં હાજરી આપશે. જેમાં 2 વાગ્યે ઉત્તર ભારતીય સંમેલનમાં રાજનાથસિંહ હાજર રહેશે.
આણંદમાં 4.30 વાગ્યે રાજનાથસિંહ જનસભા સંબોધશે
આણંદમાં 4.30 વાગ્યે રાજનાથસિંહ જનસભા સંબોધશે. તેમાં આણંદના ઉમેદવાર મિતેશ પટેલ માટે પ્રચાર કરશે. તેમજ ભાવનગરના શિહોરમાં સાંજે 7 વાગ્યે રાજનાથસિંહની સભા છે. ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણીયા માટે પ્રચાર કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના એક દિવસના ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસે આવી રહ્યા છે. સંરક્ષણ મંત્રી અમદાવાદમાં બે અલગ અલગ કાર્યક્રમો, આણંદ અને ભાવનગરમાં સંવાદ અને પ્રચારસભાઓ સંબોધશે.
મિતેશ પટેલના સમર્થનમાં સાંજે 4.30 વાગે શિહોરમાં જાહેરસભાને સંબોધશે
કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ બપોરે 2 વાગે અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે આવેલા શ્યામાપ્રસાદ મુખરજી હોલ ખાતે આયોજિત ભાજપ અન્ય ભાષાભાષી સેલના ઉપક્રમે સામાજિક સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી રાજનાથસિંહ આણંદ લોકસભા ભાજપ ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં સાંજે 4.30 વાગે શિહોરમાં જાહેરસભાને સંબોધશે. ત્યાર બાદ સાંજે 7 વાગે ભાવનગરમાં ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયા માટે શિહોરમાં પ્રચાર સભા યોજશે.


