- આવતીકાલ સાંજ સુધી દિલ્હી પહોંચવા આદેશ
- ગુરુવારે શરૂ થશે ગુજરાતના સાંસદોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા
- 9 તારીખ સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદને આદેશ
ગુજરાત ભાજપના જીતેલા સાંસદને દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ સાંસદને આવતીકાલે દિલ્હી પહોંચવા આદેશ છે. આવતીકાલ સાંજ સુધી તમામ સાંસદ દિલ્હી પહોંચી જશે. જેમાં ગુરુવારે ગુજરાતના સાંસદોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. તથા 9 જૂને PM મોદીનો શપથ વિધિ કાર્યકર્મ યોજાય તેવી શક્યતા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ કરવામાં આવશે
9 તારીખ સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદને આદેશ છે. લોકસભા ચૂંટણી 2024માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળતી દેખાઈ રહી છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને થઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ભવનનું સર્કિટ-1 બુધવાર (5 જૂન) થી 9 જૂન સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ કરવામાં આવશે.
એનડીએ પ્રારંભિક વલણોમાં તેની લીડ જાળવી રાખી હતી
લોકસભાની 542 સીટો પર મંગળવારે (4 જૂન) મતગણતરી શરૂ થઈ હતી. એનડીએ પ્રારંભિક વલણોમાં તેની લીડ જાળવી રાખી હતી. જોકે, બાદમાં ઈન્ડિયા એલાયન્સની સીટો વધી હતી. આ પછી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.


