- લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે કરશે બેઠક
- બપોરે 4 વાગ્યા આસપાસ આવશે અમિત શાહ
- અમદાવાદમાં અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયમાં કરશે બેઠક
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યાં છે. જેમાં બપોરે 4 વાગ્યા આસપાસ અમિત શાહ આવશે. તેમજ અમદાવાદમાં અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક કરશે. તથા લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે. અમિત શાહ લોકસભા વિસ્તારમાં ચૂંટણી લક્ષી રિવ્યૂ લેશે.
બેઠક બાદ નરોડામાં આયોજિત સભામાં હાજરી આપશે
બેઠક બાદ નરોડામાં આયોજિત સભામાં હાજરી આપશે. તથા રાત્રીના સમયે ફરીથી અમિત શાહ બેઠકો કરશે. તેમજ ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા સંબોધન કરશે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ બે તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. જેના ભાગ રૂપે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા રાજકીય પક્ષો ગુજરાતની જુદી જુદી લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહ્યા છે.
નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે
ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે. નરોડા વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનો મતવિસ્તાર છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હસમુખ પટેલને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


