- 16 મેના રોજ 83 કેસ, 17 મેના રોજ હીટસ્ટ્રોકના 85 કેસ
- ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવા સૂચના
- 19 મેના રોજ 106 કેસ સામે આવ્યા છે
રાજ્યમાં અત્યાર સુધીમાં હીટસ્ટ્રોકના કુલ 72 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો થયો છે. જેમાં 16મેના રોજ 83 કેસ, 17મેના રોજ 85 કેસ તથા 18મેના રોજ 97 અને 19 મેના રોજ 106 કેસ સામે આવ્યા છે. તેથી ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
રાજ્યમા હીટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં વધારો થયો
રાજ્યમા હીટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં વધારો થયો છે. જેમાં તાપમાનનું પ્રમાણ વધારે છે એના કારણે કેસોમાં વધારો થાય છે. અત્યાર સુધી કુલ 72 કેસ હિટ સ્ટ્રોકના નોંધાયા છે. 2375 સેન્ટર પરથી રોજ માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં 17 એપ્રિલ બાદ કેસોમાં રોજના 70-80 કેસો નોંધાતા હતા. તેમાં ગઈકાલે સૌથી વધુ 100 ઉપર કેસ નોંધાયા છે.
ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે ચક્કર આવવાના કેસ વધ્યા
ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે.કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે.
રાજકોટમાં 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ સામે આવ્યા
રાજકોટમાં 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં આજથી 4 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. તેમાં બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ કરાઇ છે. ટોપી, સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. શહેરમાં આકાશમાંથી અગનવર્ષા થવાના પગલે હિટ સ્ટ્રોકનાં કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં હીટ સ્ટ્રોકની 70થી વધુ ફરિયાદો થઇ છે. રાજકોટમાં આજથી 4 દિવસ ગરમીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીનજરુરી ઘરની કે ઓફિસની બહાર ન નીકળવા રાજકોટ મહાપાલિકાની અપીલ છે. તથા સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી બચવુ જોઇએ. તેમજ ટોપી, સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓની ઉપયોગ કરી ગરમીથી રક્ષણ મેળવુ જોઇએ.


