- મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડના અબ્દુલ રહેમાન મક્કીનું અપહરણ
- પાકિસ્તાનના કરાચી શહેરમાં આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકીની હત્યા થઈ
- હાફિઝ સઈદનો પુત્રના ગુમ થયા બાદ હવે સાળા કહેવાતા અબ્દુલ રહેમાન મક્કી ગુમ
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નાયબ વડા અબ્દુલ રહેમાન મક્કીનું અપહરણ કરવામાં આવ્યું છે. આવા સમાચાર બહાર આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું પાકિસ્તાનથી અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકીની હત્યા કરવામાં આવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
હાફિઝ સઈદના સાળા કહેવાતા અબ્દુલ રહેમાન મક્કી ગુમ
આ પહેલા લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્રના ગુમ થવાના સમાચાર હતા. બાદમાં અહેવાલો અનુસાર પાકિસ્તાને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. હવે પાકિસ્તાનમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે હાફિઝ સઈદના સાળા કહેવાતા અબ્દુલ રહેમાન મક્કી આજે સવારથી ગુમ છે. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ અબ્દુલ રહેમાન મક્કીનું અપહરણ કર્યું છે.
અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબાનો નાયબ ચીફ છે. તે 2008માં મુંબઈમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં કાવતરાખોર તરીકે સામેલ રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના પૂર્વ ડીજીપી એસપી વૈદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે લખ્યું છે મક્કી જમાત-ઉદ-દાવા (JuD)નો સેકન્ડ-ઇન-કમાન્ડ, જમ્મુ અને કાશ્મીરમાં અનેક હુમલાઓ અને મુંબઈ હુમલા માટે જવાબદાર હતો.
આખરે આતંકવાદીઓને કોણ આશ્રય આપી રહ્યું છે?
ઝહૂર મિસ્ત્રી – IC-814 હાઇજેકર (કરાંચીમાં ગોળી મારીને હત્યા)
રિપુદમન સિંહ મલિક, 1985 એર ઈન્ડિયા બોમ્બ ધડાકા (સરેમાં ગોળી મારીને હત્યા)
મોહમ્મદ લાલ, ISI ઓપરેટર (19 સપ્ટેમ્બર 2022ના રોજ નેપાળમાં ગોળી મારીને હત્યા)
હરવિંદર સિંહ સંધુ, 2021માં પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર આરપીજી હુમલો (લાહોરની હોસ્પિટલમાં ડ્રગના ઓવરડોઝથી મૃત્યુ થયું)
બશીર અહેમદ પીર, હિઝબુલ કમાન્ડર (રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા)
સૈયદ ખાલિદ રઝા, અલ બદર કમાન્ડર (કરાંચીમાં માર્યા ગયા)
ઈમ્તિયાઝ આલમ- (રાવલપિંડીમાં હિઝબુલ કમાન્ડર માર્યો ગયો)
ઇજાઝ અહેમદ અહંગર – (ISJK, અફઘાનિસ્તાનમાં ગોળી મારીને હત્યા)
સૈયદ નૂર શાલોબર (બારા ખૈબર, પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા)
પરમજીત સિંહ પંજવાર, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા (6 મે 2023ના રોજ લાહોરમાં ગોળી મારીને હત્યા)
અવતાર સિંહ ખાંડા, (16 જૂન 2023 ના રોજ બર્મિંગહામ, યુકેમાં શંકાસ્પદ ઝેરના કારણે મૃત્યુ પામ્યા)
હરદીપ સિંહ નિજ્જર, (19 જૂન 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી)
સરદાર હુસૈન અરૈન, (1 ઓગસ્ટ, 2023ના રોજ સિંધના નવાબ શાહમાં ગોળીથી ઘાયલ)
રિયાઝ ઉર્ફે અબુ કાસિમ કાશ્મીરી સ/ઓ મુહમ્મદ આઝમ (લશ્કર કમાન્ડર, 8 સપ્ટેમ્બર, 2023 ના રોજ પીઓકેમાં રાવલકોટ મસ્જિદની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી)
સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે, (20 સપ્ટેમ્બર 2023 ના રોજ વિનીપેગ, કેનેડામાં ગોળી મારીને હત્યા)
ઝિયાઉર રહેમાન (29 સપ્ટેમ્બર 2023ના રોજ કરાચીમાં હિઝબુલ મુજાહિદ્દીનના નેતાની ગોળી મારીને હત્યા)
મુફ્તી કૈસર ફારૂક, લશ્કરના સ્થાપક સભ્ય (30 સપ્ટેમ્બરે સોહરાબ ગોથ, કરાચી, પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા)