- રાજસ્થાનમાં ચૂંટણીને લઇને પ્રચાર તેજ
- પીએમ મોદી, સીએમ યોગી પણ રાજસ્થાનમાં
- હિમંતા બિસ્વાએ નાદબાઇમાં સંબોધી જાહેર સભા
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપીએ જોરશોરથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધુ છે. 23 નવેમ્બર સુધી જ પ્રચાર કરવાનો સમય છે ત્યાર બાદ આચાર સંહિતા લાગી જશે. ત્યારે ભાજપ ચૂંટણીને લઇને કોઇપણ કસર છોડવા માગતુ નથી. પીએમ મોદી, સીએમ યોગી તથા અસમના સીએમ હિમંતા બિસ્વા સરમા પણ રાજસ્થાનમાં પ્રચારમાં ઝંપલાવી રહ્યા છે.
તો ભારત વિશ્વગુરુ બની જશે
અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજસ્થાનના નાદબાઇમાં જાહેર સભા સંબોધી હતી. તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે મારુ માનવું છે કે જો મોદીજી આગામી 10 વર્ષ સુધી પીએમ રહેશે, તો ભારત અમેરિકા અને ચીનને પાછળ છોડી દેશે અને ‘વિશ્વ ગુરુ’ બની જશે.
ગરીબોને લૂંટનારા જેલના સળિયા પાછળ હશે: પીએમ મોદી
તેમણે દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં ભાજપની સરકાર હશે. આ દરમિયાન જાહેર સભામાં નારો લગાવીને કહ્યું કે કમળને ચૂંટશે રાજસ્થાન. મહત્વનું છે કે પીએમ મોદી આજે હનુમાનગઢના પીલીબંગામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં પહોંચ્યા હતા. રેલીના મંચ પરથી સંબોધન શરૂ કરતા તેમણે કહ્યું કે આ ભૂમિને જાહરવીર ગોગાજી અને આપણા શીખ ગુરુઓ તરફથી અપાર આશીર્વાદ મળ્યા છે. આજે, અહીં રાજસ્થાનમાં સત્તા પરિવર્તન માટેનો આટલો ઉત્સાહ જોઈને હું અભિભૂત છું. આ પછી તેમણે રાજ્યની જનતાને સંબોધતા કહ્યું કે, ‘હું આજે તમને ખાતરી આપવા આવ્યો છું કે જેણે ગરીબોને લૂંટ્યા છે તેને છોડવામાં નહીં આવે. રાજસ્થાનમાં એ દિવસ દૂર નથી જ્યારે ગરીબોને લૂંટનારાઓ ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ હશે.
કોંગ્રેસે 5 વર્ષમાં કર્યુ શું : CM યોગી
યુપી સીએમએ સંબોધન કરતા જણાવ્યું કે કોંગ્રેસે 55-60 વર્ષમાં જે ન કર્યું તે પીએમ મોદીએ નવ વર્ષમાં કરીને બતાવ્યું. આ નવ વર્ષમાં 12 કરોડ ગરીબોને શૌચાલય, 4 કરોડ લોકોને ઘર, 4 કરોડ લોકોને વીજળી કનેક્શન મળ્યા. 10 કરોડ ગરીબોને ઉજ્વલા યોજના કનેક્શન મળ્યું. વધુમાં કહ્યું કે જે રાજસ્થાનને ભાજપે પોતાના શાસન દરમિયાન વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાંચ વર્ષમાં એવુ તો શું થઇ ગયુ કે રાજસ્થાન રોજગાર, પર્યટન, વિકાસ અને સમૃદ્ધિમાં નંબર 1 પર નથી.


