9 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી જીત મેળવી. રોહિત શર્માના નેતૃત્વમાં, ભારતે તેનું બીજું ICC ટાઈટલ જીત્યું, જ્યારે ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. વિજય પછી, બધા ભારતીય ખેલાડીઓને ICC તરફથી મેડલ પ્રાપ્ત થયા. પરંતુ BCCI એ રવિન્દ્ર જાડેજાને એક ખાસ મેડલ આપ્યો છે.
BCCIએ આપ્યો ખાસ મેડલ
દરેક મેચ પછી, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ એક ભારતીય ખેલાડીને બેસ્ટ ફિલ્ડર તરીકે પસંદ કરે છે. ફાઈનલ મેચ પછી પણ, બે ખેલાડીઓને બેસ્ટ ફિલ્ડર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓના નામમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. પરંતુ અંતે, જાડેજાને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો. તેને ફાઈનલ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરી અને ગ્રાઉન્ડ પર ઝડપથી થ્રો કરી રહ્યો હતો. આ કારણે તેને બેસ્ટ ફિલ્ડરનો મેડલ આપવામાં આવ્યો.
બેસ્ટ ફિલ્ડર છે જાડેજા
રવિન્દ્ર જાડેજા પોતાની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે. અત્યાર સુધી, તેને ભારત માટે પોતાની બેટિંગ, બોલિંગ અને મજબૂત ફિલ્ડિંગથી બધાનું દિલ જીતી લીધું છે. તેને અત્યાર સુધીમાં ભારત માટે 204 વનડે મેચમાં 2806 રન બનાવ્યા છે અને 231 વિકેટ લીધી છે. જાડેજાએ ફિલ્ડિંગમાં પોતાનું સ્તર ઘણું ઊંચું કર્યું છે. એટલા માટે તેમની ગણતરી ભારતના મહાન ફિલ્ડરોમાં થાય છે. ફાઈનલ મેચમાં પણ જાડેજાએ ન્યુઝીલેન્ડ સામે ચોગ્ગો ફટકારીને ટાઇટલ જીત્યું હતું.
ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
ભારતીય ટીમ અત્યાર સુધીમાં કુલ 3 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. વર્ષ 2002 માં, સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ પછી, ભારતે 2013 માં ઈંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. હવે 2025 માં ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઈતિહાસ રચ્યો.


