By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનાનો મોહ છૂટે તો ભારત વિકસિત થઈ જાય?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

સોનાનો મોહ છૂટે તો ભારત વિકસિત થઈ જાય?

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:04 PM
2 years ago
Share
સોનાનો મોહ છૂટે તો ભારત વિકસિત થઈ જાય?
SHARE

પણ લોકો કહેશે કે સોના વિના અમે ગરીબાઈ અનુભવીએ તેનું શું: લોકો સુખ-સમૃદ્ધ હોવા જોઈએ કે દેશ સમૃદ્ધ હોવો જોઈએ એવી તાત્વિક ચર્ચા જવા દો…

નીલેશ શાહનું નામ ઇન્વેસ્ટેરો જાણે છે. સોનું એ આભૂષણ માટેની એક ધાતુ છે કે કમાણી કરવા માટેનું રોકાણનું માધ્યમ છે કે સંકટ સમયની સાંકળ છે? સૌની પોતપોતાની વ્યાખ્યા છે, પણ નીલેશ શાહે એક વાત કરી તે તેમના ચાહકો કેટલી સ્વીકારશે ખબર નહીં, પણ તેમણે કરેલી વાતને જાણવા જેવી અને સમજવા જેવી છે.
નીલેશ શાહે એક આંકડો આપ્યો છે કે છેલ્લા 21 વર્ષમાં ભારતે 500 અબજ ડોલરના મૂલ્યના સોનાની આયાત કરી છે. પાંચ ઉપર 12 મીંડા થાય એટલી રકમ. તેને રૂપિયામાં કન્વર્ટ કરો એટલે અંદાજે 41,669,600,000,000 (અંદાજે ચાર લાખ સત્તર હજાર કરોડ) થાય. આ ચાર લાખ કરોડ રૂપિયા જો ભારતમાં પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટમાં ગયા હોત તો કદાચ તેનો ફાયદો થયો હોત એવી ધારણાને આધારે તેમણે કહ્યું કે પાંચ ટ્રિલિયનની ઈકોનોમી માટેનું ભારતનું સપનું ક્યારનુંય પૂરું થઈ ગયું હોત. ભારતના લોકોની કમાણીના પૈસા આ રીતે વિદેશમાં જતા રહ્યા અને તેના બદલમાં પીળા રંગની ધાતુ ઘરમાં આવીને પડી રહી છે.
એનું મૂલ્ય સોનેરી છે, વેચવા જઈએ ત્યારે વધારે કિંમત મળે. એટલે વળતર પણ વધારે મળ્યું ગણાય, પરંતુ તેને પ્રોડક્ટિવ ગણાય કે નહીં? વ્યક્તિ માટે ખરું, કેમ કે રોકાણમાં ફાયદો થયો અને એક પ્રકારની સલામતી પણ રહી. બીજું કે કમાયા પછી હીરાજડિત વીંટી પહેરવાની ના થાય તો શું એવો એટલો જ તાત્વિક સવાલ સામે આવવાનો છે. પરંતુ આટલી મોટી રકમનું રોકાણ કોઈ ઈન્ડસ્ટ્રીમાં થયું હોત તો ત્યાં પણ રોકાણનું વળતર મળ્યું હોત. તેમાં વધારાનો ફાયદો એ થયો હોત કે મૂડી દેશમાં જ રહી હોત, ઉદ્યોગમાં અનેક લોકોને રોજગારી પણ મળી હોત.
દાખલા તરીકે સોલર પેનલની ઈન્ડસ્ટ્રીમાં આટલું મોટું રોકાણ થઈ શક્યું હોત તો તેના ઉત્પાદનમાં ભારત આગળ નીકળી શક્યું હોત. તેના બહુવિધ ફાયદા થયા હોત. સોનાની આયાતમાં પૈસા ગયા તેની સામે સોલર પેનલની નિકાસને કારણે દેશમાં પૈસા આવ્યા હોત. રોજગારી પણ ખરી અને સૌથી મોટો ફાયદો તો પર્યાવરણને થયો હોત. સોના માટેનો મોહ સમજાવવો એટલો સહેલો નથી કે આટલી સહેલાઈથી આખી સ્થિતિને સમજાવી શકાય.
દાખલા તરીકે સોનાની દાણચોરી. સોનાની માગ ત્યારે પણ હતી અને આજે પણ છે. સોનાની આયાત બંધ હતી એટલે દાણચોરી થતી હતી. દાણચોરીથી સોનુ આવતું અને એટલું નાણું વિદેશ પગ કરી જતું હતું. સોનાની આયાત પર ડ્યુટી સહિતના રેશનલાઇઝેશનના પગલાં લેવાયા પછી સોનાની દાણચોરીમાં ફરક પડ્યો. એટલે સોનાની જંગી આયાતમાં નાણું વિદેશ તણાઈને જતું રહે છે એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે લોકો પાસે રોકાણ માટેના સુરક્ષિત સાધનો કેટલા વધે. ત્રીજો મુદ્દો કે માત્ર રોકાણ કરીને જ સુરક્ષિત થઈ શકાશે તો સામાજિક રીતે કેટલો તણાવ રહેશે. રોકાણ કરી શકવાની સ્થિતિમાં ના હોય તે લોકો વૃદ્ધ થયા પછીય મજૂરી કર્યા કરે અને કેટલાક માણસો જિંદગીભર કામ જ ના કરે. બાપાના પૈસા વાયદા બજારમાં લગાવીને અને રોકાણ કરીને મેનેજમેન્ટ કર્યા કરે અને કમાયા કરે.
એટલે સોનાની આયાત એ માત્ર આર્થિક મુદ્દો નથી, તે સામાજિક અને અમુક રીતે રાજકીય મુદ્દો પણ છે. કલ્યાણ રાજ્યની કલ્પનામાં કોઈક એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ કે રોકાણ હોય કે ના હોય, મનુષ્યની પાછળની જિંદગીમાં એક પ્રકારની સુરક્ષા હોય. સરકારો પર આજેય નાગરિકોને ભરોસો નથી કે પોતાની સંભાળ રાખી શકશે. લોકો જાણે છે કે જાતે જ સુરક્ષિત જીવન કરવાનું છે. એટલે સોનાનો મોહ છે. માત્ર રોકાણ નથી કે કમાણી નથી કે વૈભવનો દેખાડો નથી, પણ એક પ્રકારની આર્થિક અને સામાજિક સુધારાનો ભાવ પણ તેની સાથે જોડાયેલો છે.
આપણી આ ચર્ચાનો કંઈ સાર નીકળે એમ લાગતો નથી. એટલે નીલેશ શાહની બીજી એક વાતનો પણ ઉલ્લેખ કરીને વાત પૂરી કરીએ. તેમણે કહ્યું કે નિયમિત સમાચાર આવતા રહે છે કે કસ્ટમ વિભાગે સોનાનો જથ્થો પડક્યો. એટલે દાણચોરી હજીય બેફામ ચાલે છે. લોકો દુબઈ ફરવા જાય ને પછી ઘરેણાં પહેરીને પરત આવે ને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળી જાય છે. આ રીતે નીતિ પરિવર્તનથી દાણચોરી ઘટી હોય કે સોનામાં કાળું નાણું ઘટ્યું હોય તેવું કશું થયું નથી એવું પીએમ સલાહકાર સમિતિના સભ્ય કહેતા હોય તો આપણે માનવું પડે.
ટૂંકમાં વાતો છે બધી નક્કામી. સોનામાં દાણચોરી ચાલી રહી છે, દુબઈ જવાનું અને સોનુ લઈને આવવાનું એ ચાલે છે, (જમીન પછી બીજા નંબરે) સોનામાં કાળું નાણું સચવાઈ રહ્યું છે. એને દૂર કરવાનું વિચારોને… લોકોનો સોનાનો મોહ એ બધું જવા દો. કાળું નાણું દૂર કરવા માટે બે ફદિયાનુંય કામ થયું નથી એટલે સોના અને જમીનમાં જંગી મૂડી ફસાયેલી છે. તે છૂટી થાય તો પાંચને બદલે કદાચ પંદર બિલિયનની ઈકોનોમી પણ થઈ જાય.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 3 days ago
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?