- માછીમારોને દરિયામાં ન જવાની સલાહ : IMD
- હજુ આ વાવાઝોડાનું નામ કે રૂટ નક્કી કરવામાં આવ્યો નથી
- ‘મહારાષ્ટ્ર કે ગુજરાત તરફ આવવાની કોઈ શક્યતા નહીં’
રાજ્યના દરિયાકિનારે આગામી દિવસોમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે વાવાઝોડા અંગે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વાવાઝોડાને લઈ IMDના વૈજ્ઞાનિક આનંદો દાસે જણાવ્યું કે, અત્યારે આ વાત નિશ્ચિતપણે કહી શકીએ તેમ નથી. આ સ્થિતિ દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ બનતી હોય છે.
રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું કે, હાલમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે. જેમાં હવાની ગતિ 30 થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે. જે આગામી 24 કલાકમાં આ દબાણ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ પવનની ઝડપ 45 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે. જેને જોતાં હવામાન વિભાગ સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે.
વાવાઝોડાની સ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જો કે વાવાઝોડાના રૂટ અંગે IMD એ જણાવ્યું કે, હજુ આ વાવાઝોડાનું નામ કે રૂટ નક્કી કરવામાં આવ્યો નથી. તેમજ મહારાષ્ટ્ર કે ગુજરાત તરફ આવવાની કોઈ શક્યતા જોવામાં આવી રહી નથી. આ સાથે જ ઉત્તર-પશ્ચિમ દિશામાં આરબ આફ્રિકા તરફ આગળ વધી શકે છે.
IMD તરફની સ્થિતિ અંગે કહ્યું કે, હાલની અસર અંગે કંઈ પણ કહેવું વહેલું છે. ગુજરાતના દરિયાકિનારે કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી. વરસાદ થવાની પણ કોઈ શક્યતા નથી. વાતાવરણમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા પણ નથી.