નૂરીને જણાવ્યું કે અનેક અઠવાડિયાઓથી તેમને તેમના ભાઈને મળવાની મંજૂરી આપવામાં આવી નથી અને જેલ પ્રશાસન દ્વારા સતત ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના કહેવા મુજબ, ઈમરાન ખાનને અલગ રાખવામાં આવી રહ્યા છે અને તેમની સુરક્ષા અંગે ગંભીર ચિંતા છે.
ઈમરાન ખાનને હાનિ પહોંચી તો કુદરત તેમને છોડશે નહી
નૂરિન નીયાઝીએ ચેતવણી આપી કે જો તેમના ભાઈને કંઈ થયુએટલે કે જો તેમને નુકસાન પહોંચાડવામાં આવ્યું, એકલવાયા બંધમાં રાખવામાં આવ્યા, અથવા તેમની હાલત વધુ ખરાબ થઈ તો તેની કિંમત શાસકોને ચૂકવવી પડશે. તેમણે સીધી જ ધમકી આપતાં કહ્યું કે શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનિરનો વંશ વેલો ખતમ થઇ જશે, જો ઈમરાન ખાનને હાનિ પહોંચી તો કુદરત તેમને છોડશે નહી. તેમની આ ટકોર બાદ પાકિસ્તાનમાં રાજકીય ચર્ચાઓ વધુ ઉગ્ર બની છે.
પાકિસ્તાન હાલમાં “ઈતિહાસના સૌથી અંધકારમય અને ખરાબ સમયમાં”થી પસાર થઈ રહ્યું છે
નૂરિનના જણાવ્યા મુજબ, પાકિસ્તાન હાલમાં “ઈતિહાસના સૌથી અંધકારમય અને ખરાબ સમયમાં”થી પસાર થઈ રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો કે સરકાર અને જેલ તંત્ર મીડિયા, વકીલ અને પરિવારજનોને દૂર રાખીને સત્ય છુપાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ઈમરાન ખાનની તબિયત, એકલવાયા બંધ અને મુલાકાત પર પ્રતિબંધને લઈને ચિંતાઓ સતત વધી રહી છે.
આ બધી ઘટનાઓની પાછળ કારણ છે
ઈમરાન ખાનની તાજેતરની તબિયત અને સુરક્ષા અંગે આવેલી અફવાઓ, તેમજ તેમને લાંબા સમયથી બાકીના કેદીઓથી અલગ રાખવાની માહિતી. નૂરિનનો દાવો છે કે તેઓ અને તેમના પરિવારને ઈમરાન ખાનને મળવા નહીં દેવામાં આવવું માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, નૂરિનની આ ચેતવણી બાદ રાજકીય તંગદિલી વધી છે અને પાકિસ્તાનનું ભવિષ્ય ફરી અનિશ્ચિતતામાં દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : Pakistan Afghanistan Tension: તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહ્યુ છે ઘર્ષણ, જાણો સેનાએ શું કરી તૈયારીઓ?


