- અમદાવાદની ગલીએ ગલીએ રામાયણ ભજવાઈ
- નાના ભૂલકાઓએ રામાયણનું આયોજન કર્યું હતુ
- ન્યુ રાણીપ સન રિયલ હોમ ખાતે રામાયણ ભજવાઈ
ગુજરતામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો ઠેર ઠેર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરો તેમજ ગામડાઓમાં રામ ભગવાનના સ્વાગતને લઈને ભક્તિભાવ પૂર્ણ વાતારવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ભગવાન રામના સ્વાગતને લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાઓ પર રામધૂન ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં નાના ભૂલકાઓ ભગવાન રામની વેશભૂષા કરીને ભગવાન રામ અને રામાયણના પાત્રો ભજવતાં જોવા મળ્યાં હતાં. ખુદ ભગવાન રામ અહીં પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
નાના ભૂલકાઓ દ્વારા રામાયણ ભજવાઈ
ત્યારે અમદાવાદના એક વિસ્તારમાં અનોખી રીતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને બાળકો, મહિલાઓ, ભાઈઓ તેમજ વૃદ્ધો દ્વારા રામ ભગવાનના સ્વાગત માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ગલીએ ગલીએ આજે રામાયણ ભજવાઈ રહી છે. અને રામ આવ્યા ને સીતામાતાને લાવ્યા એવા ભજનો ગવાઈ રહ્યાં છે. તેમજ અમદાવાદમાં નાના ભૂલકાઓ દ્વારા આ ખાસ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલા રાણીપ વિસ્તારમાં નાના ભૂલકાઓ દ્વારા રામાયણ ભજવાઈ રહી છે.
સન રિયલ હોમ્સ ખાતે રામાયણ ભજવાઈ
અમદાવાદના રાણીપની ગલીએ ગલીઓમાં નાના ભૂલકાઓ રામમય બની ગયાં છે. ન્યુ રાણીપની સન રિયલ હોમ્સ ખાતે રામાયણ ભજવાઈ હતી. અમદાવાદમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ટાની પૂર્વ સંધ્યાએ આ રામાયણ ભજવાઈ હતી. જેમાં નાના ભૂલકાઓ રામાયણના પાત્રો ભજવતાં જોવા મળ્યાં હતાં. નાના નાના ભૂલકાઓએ ભગવાન રામે શબરીના એંઠા બોર ખાધા હતાં તેવા પાત્રો ભજવીને રામાયણનો સંદેશ નાગરિકોને આપ્યો હતો.
બાળકોનો રામ પ્રત્યેનો અનન્ય પ્રેમ અભિનયમાં દેખાયો
બાળકોનો રામ પ્રત્યેનો અનન્ય પ્રેમ તેમના અભિનયમાં દેખાયો હતો. આજે લાગી રહ્યું હતું કે, અમદાવાદ જાણે રામમય બની ગયું છે અને ભગવાન રામ ખુદ આ બાળકોમાં પ્રતિત થતાં હોય તેવો માહોલ સર્જાયો હતો. આ બાળકોમાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અપ્રિતમ ઉત્સાહ જોવા મળ્યો હતો.


