- પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ વેપારીઓએ કરી હતી હડતાલ
- પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમનું પાલન કરશે વેપારીઓ
- આવતીકાલથી વેપારીઓ ધંધા રોજગાર કરશે શરૂ
તાજેતરમાં ગિરનાર પર્વત પ્લાસ્ટીક પ્રતિબંધના કડક અમલવારી સામે ગિરનારના વેપારીઓએ 4 દિવસ સંજ્જડ બંધ પાળી વિરોધ કર્યો હતો તે હડતાળનો આજે અંત આવ્યો છે,મેયર દ્વારા વેપારીઓ સાથે રાત્રીના સમયે બેઠક યોજી હતી,તો વેપારીઓ પણ ગિરનારને પ્લાસ્ટિક મુકતને લઈ સહમત થયા હતા,અને હડતાળનો અંત લાવ્યો હતો.તો બીજી તરફ ધારાસભ્ય સંજય કોરડીયાએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે,પ્લાસ્ટિકની વસ્તુઓનો મેળામાં તેમજ ગિરનાર પર્વત પર ઉપયોગ ના કરે.
શું હતો મામલો
હાઈકોર્ટનાં આદેશનાં પગલે ઈકો સેન્સીટીવ ઝોન વિસ્તાર ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટીકના વપરાશ અને ફેંકવા પર પ્રતિબંધનનો કડક અમલ તંત્ર હાથ ધરતા ગિરનારના વેપારી એસો.એ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું.જેનો નિવાડો આવ્યો છે.જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના લીધે પાણીના પ્લાસ્ટિકના પાઉચ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, વગેરેના વેચાણ પર પ્રતિબંધને કારણે સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને ચાર દિવસે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. ગિરનાર પર પ્લાસ્ટિકની બોટલના વેચાણ પર પ્રતિબંધના નિર્ણયને લઈને વેપારીઓમાં રોષ હતો. 120 જેટલા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ તંત્ર દ્વારા પાણીની સુવિધા કરાઈ હતી પરંતુ તે કામચલાઉ ધોરણે હતી. આથી પ્રવાસીઓને પાણી વિના ભારે હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો હતો.
હાઈકોર્ટનો આદેશ
જુનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે ગત ઓક્ટોબરમાં સફાઇનો આદેશ આપ્યો હતો. પર્વત પર ગંદકીની સફાઇ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે હોઈકોર્ટ કમિશનની રચના પણ કરી હતી. આ ટીમે વહીવટી તંત્રએ સફાઈ માટે શું કર્યું, સીડી પર કચરાપેટી મુકાઈ છે કે નહીં, પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ થાય છે કે નહીં વગેરે બાબતોનું નિરીક્ષણ પણ કર્યું હતું. ગિરનાર પર પાણીની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ પાછું ઠેરનું ઠેર થઈ જતાં પ્રવાસીઓ પરેશાની ભોગવી રહ્યા હતા. જો કે, જિલ્લા કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ગિરનાર ઉપર પાણીના ટાંકા ઉભા કરવામાં આવશે.


