રાજુલા શહેરમાં આહીર સમાજ વાડી ખાતે પત્રકાર મિત્રો તેમજ ગોહિલ પરીવાર દ્વારા વરીષ્ઠ પત્રકાર સ્વ.દિલીપભાઈ ગોહિલની શ્રધ્ધાંજલી પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૭ જાન્યુઆરીના રોજ મોડીરાતે ભાવનગર ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતા દિલિપભાઈનું અવસાન થયું હતું. આ સમાચાર મળતા જ મિડિયા જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. દિલીપભાઈ ગોહીલની અંતિમક્રિયા પોતાના વતન રાજુલા ખાતે કરાઈ હતી.
રાજુલા શહેરમાં આહીર સમાજ વાડી ખાતે પત્રકાર મિત્રો તેમજ ગોહિલ પરીવાર દ્વારા વરીષ્ઠ પત્રકાર સ્વ.દિલીપભાઈ ગોહિલની શ્રધ્ધાંજલી પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૭ જાન્યુઆરીના રોજ મોડીરાતે ભાવનગર ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતા દિલિપભાઈનું અવસાન થયું હતું. આ સમાચાર મળતા જ મિડિયા જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. દિલીપભાઈ ગોહીલની અંતિમક્રિયા પોતાના વતન રાજુલા ખાતે કરાઈ હતી.દિલીપભાઈ ગોહિલે પત્રકારત્વમાં તેજસ્વી કારકીર્દી રહી હતી. હાલમા તેઓ રાજકોટનું સાંધ્ય દૈનિક અગ્ર ગુજરાત નામના અખબારમાં એસોસિયેટ એડિટર તરીકે કામ કરેલ હતું. ખાસ કરીને દિલીપભાઈ રાજકીય વિશ્લેષણ તરીકે ખૂબ જાણકાર હતાં. ત્યારે તેમની અચાનક વિદાયથી ગુજરાત પત્રકાર જગતમાં ખુબ ખોટ પડી છે. તેમના વતન રાજુલા ખાતે પત્રકાર સંગઠન તેમજ ગોહિલ પરીવાર દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી. આ સભામા રાજુલા શહેરીજનો,પત્રકાર મિત્રો, રાજકીય-સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા લોકોએ ઉપસ્થિત રહીને દિલીપભાઈ ગોહિલને શ્રધ્ધાંજલી પાઠવી હતી.