રાજકોટમાં પ્રદુષણમાં વધારો, 6237 લોકોને શ્વાસ લેવામાં પડતી તક્લીફ
ગત વર્ષ કરતા 108માં ઇમરજન્સી કોર્લ્સમાં સૌથી વધુ શ્વાસની બિમારીના કેસ
અગ્ર ગુજરાત, રાજકોટ
વર્તમાન સમયમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં AQI 200થી વધારે નોંધાઇ ચૂક્યો છે અને તેના કારણે શહેરમાં શ્વાસની બિમારીના દર્દીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
હાલ જે રીતે રાજકોટમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે તેના પગલે શ્વાસની બીમારીના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને AQI 200 ને પાર રહ્યો છે. જેને કારણે શ્વાસની તકલીફ વધી છે. કેટલાક એવા વિસ્તારો છે કે, જ્યાં માસ્ક પહેર્યા વગર નીકળી શકાય તેવું નથી. રાજકોટમાં પ્રદુષણનું પ્રમાણ એટલું વધારે વધ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં શ્વાસની તકલીફના કારણે રાજકોટમાં જ 31 હજારથી વધુ લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી પડી છે.
રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલા હવાના પ્રદુષણના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. પ્રદુષિત હવાના કારણે રાજ્યમાં શ્વાસની તકલીફમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 108 ઇમરજન્સીમાં એક વર્ષમાં 1.29 લાખથી વધુ લોકોને શ્વાસની તકલીફના કોલ મળ્યા છે. સૌથી અમદાવાદમાં 31 હજાર 162 લોકોને શ્વાસની તકલીફ હોવાનું સામે આવ્યુ છે. જ્યારે સુરતમાં 11 હજાર 736 લોકોને શ્વાસની તકલીફ થઈ હતી. જ્યારે વડોદરામાં 8 હજાર અને રાજકોટમાં 6 હજાર 237 લોકોને શ્વાસની તકલીફ થઈ હતી.
રાજ્યભરમાં વર્ષ 2024માં શ્વાસની તકલીફ મામલે 108 ઇમરજન્સીમાં 1 લાખ 24 હજાર 210 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં વર્ષ 2025માં 1 લાખ 29 હજાર 352 કેસ સામે આવ્યા છે. જે રીતે રાજકોટનો AQI 200ને પાર રહ્યો છે જેને શ્વાસની તકલીફ વધી છે. શિયાળામાં પ્રદૂષણ વધવાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અને અન્ય શ્વાસની તકલીફોમાં વધારો થતો જોવા મળે છે. પોસ્ટ-કોવિડ સમયમાં COPDના કેસમાં 30%નો વધારો નોંધાયો છે.
આ અંગે સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, વધતા પ્રદુષણને કારણે શ્વાસની બીમારીના કેસ વધ્યા છે. શહરેમાં જ્યાં વધુ પડતું પ્રદુષણ હોય ત્યાં લોકોએ બને ત્યાં સુધી જવાનું ટાળવું જોઈએ કે પછી N 95 માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.


