ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બાદ આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. મુંબઈનો ઉભરતો ખેલાડી તનુષ કોટિયન અશ્વિનનું સ્થાન લેવા માટે તૈયાર છે. ઓલરાઉન્ડર તનુષ કોટિયન બોક્સિંગ ડે ક્રિકેટ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાવા માટે તૈયાર છે.
તનુષ કોટિયન મંગળવારે ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. તનુષ કોટિયનની ગણના એક મહાન ઓલરાઉન્ડર તરીકે થાય છે. તેને પોતાના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત કર્યા.
વિજય હજારે ટ્રોફીમાં લીધો ભાગ
તનુષ કોટિયન હાલમાં વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે ભાગ લઈ રહ્યો છે. તેઓ હાલ અમદાવાદમાં છે. તે મુંબઈ આવશે અને અહીંથી મંગળવારે ઓસ્ટ્રેલિયા જશે. તાજેતરમાં, તનુષ કોટિયને ઓસ્ટ્રેલિયા A સામે ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ગયા મહિને જ ઓસ્ટ્રેલિયામાં હતો. આવી પરિસ્થિતિમાં તેમને વિઝાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
ખેલાડીનું આવું રહ્યું કરિયર
તનુષ કોટિયને અત્યાર સુધી રમાયેલી 33 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને 41.21ની એવરેજથી 101 વિકેટ લીધી છે અને 1525 રન બનાવ્યા છે. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2 સદી પોતાના નામે કરી છે.
જ્યારે લિસ્ટ A મેચોમાં તેને 20 મેચમાં 20 વિકેટ અને 90 રન બનાવ્યા છે. આ ખેલાડીએ 33 T-20 મેચમાં 33 વિકેટ લેવા સિવાય 87 રન પણ બનાવ્યા છે.
26 ડિસેમ્બરથી ચોથી ટેસ્ટ મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાશે. આ મેચ પહેલા તનુષ કોટિયન ભારતીય ટીમ સાથે જોડાશે. છેલ્લી પાંચ મેચમાં તનુષ કોટિયને 3 વિકેટ પોતાના નામે કરી છે, જ્યારે તેને બેટિંગ કરવાની તક મળી નથી.


