- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ ચાલુ
- ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે
- વિરાટ કોહલીને મેદાનમાં જોવા ઈચ્છે છે લોકો
ચાહકો હંમેશા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાનમાં જોવા ઈચ્છે છે. સાથે જ વિરાટ કોહલી પણ મેદાન પર પોતાના બેટ, રિએક્શન અને આક્રમકતાથી ફેન્સનું મનોરંજન કરતો રહે છે. પ્રશંસકોને પણ વિરાટ કોહલીના રિએક્શન ઘણા પસંદ આવી રહ્યાં છે. જે મેચમાં વિરાટ કોહલી નથી રમે તે મેચમાં ફેન્સ તેને ખૂબ મિસ કરે છે અને જે મેચમાં વિરાટ કોહલી રમે છે તે મેચમાં વિરાટની કેટલીક ખાસ પળોની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય તે અસંભવ છે.
કોહલીની વાપસીનો ઇન્તજાર
વાસ્તવમાં, આ દિવસોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, જેમાંથી બે મેચ રમાઈ છે. વિરાટ કોહલી આ સિરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. જે બાદ હવે દરેક ત્રીજી મેચમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જોકે, ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે ત્યારે જ ખબર પડશે કે વિરાટ કોહલી સિરીઝની આગળની મેચોમાં રમી શકશે કે નહીં.
વિરાટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે
ઘણીવાર એવું જોવા મળે છે કે વિરાટ કોહલી મેદાન પર તેની બેટિંગ અને ફિલ્ડિંગનો ઘણો આનંદ લે છે. મેચમાં સમયાંતરે વિરાટ પોતાની પ્રતિક્રિયાઓથી દર્શકોનું મનોરંજન કરતો રહે છે. વિરાટ કોહલીના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા રહે છે. વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો છે અને ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.
વિરાટ કોહલી ક્યારે મેદાનમાં પરત ફરશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. જેને લઈને હવે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. જે બાદ ખબર પડશે કે વિરાટ કોહલી મેદાનમાં પરત ફરે છે કે નહીં. વાસ્તવમાં, અંગત કારણોસર વિરાટ કોહલીએ આ ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. હવે સિરીઝની બે ટેસ્ટ મેચ રમાઈ છે. હવે ટીમ ઈન્ડિયા અને ફેન્સ આતુરતાથી વિરાટની વાપસીની રાહ જોઈ રહ્યા છે.
આગામી મેચમાં રમશે વિરાટ કોહલી?
બીજી તરફ, વિરાટ કોહલીની વાપસીને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે. થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને વિરાટ કોહલીના ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે.


