સિંધુ જળ કરાર પર દુનિયાભરમાં મદદ માટે કગરનાર પાકિસ્તાન હવે અસહજતા અનુભવે છે. કારણ કે મધ્ય એશિયાના એ જ દેશો હવે ભારત સાથે મિત્રતા કરવા માટે આગળ આવ્યા છે. જયારે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ બધા સ્થળોએ જઇને ભારત વિશે ઝેર ઓકતા હતા. ત્યારે હવે 6 જૂનના રોજ દિલ્હીમાં ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા સંવાદની ચોથી બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન મુસ્લિમ દેશો વેપાર, સુરક્ષા અને કનેક્ટીવીટી પર ભારત સાથે ચર્ચા કરશે.
ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા સંવાદની ચોથી બેઠક
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ થોડા દિવસ અગાઉ દુનિયાભરમાં ભારત વિરુદ્ધ સિંધુ જળ કરાર મુદ્દે ફરિયાદો કરી રહ્યા હતા. પરંતુ તેમના પાડોશી દેશો હવે ભારતને પોતાનું સમર્થન આપી રહ્યા છે. અને મિત્રતાના નવા પાઠ ભણી રહ્યા છે. ભારતની તમામ વાતો અને મુદ્દાઓમાં મધ્ય એશિયાના દેશો પોતાના સુર ભેળવી રહ્યા છે. હવે આ દેશો જાતે દિલ્હી આવીને વેપાર અને કૂટનીતિ વિશે ભારત સાથે સંવાદ સાધશે. ભારત અને મધ્ય એશિયાના 5 દેશો વચ્ચે બેઠક યોજાશે. આ બેઠક દિલ્હીમાં યોજાવાની છે. વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર 6 જૂનના રોજ દિલ્હીમાં ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા સંવાદની ચોથી બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર કરશે. આ બેઠકમાં કજાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી દિલ્હીમાં આગમન કરશે. વર્ષ 2021માં ત્રણ બેઠકો દિલ્હીમાં યોજાઇ હતી.
5 જૂને બિઝનેસ કાઉન્સિલની બેઠક
ભારત અને મધ્ય એશિયાઇ દેશો વચ્ચે વેપારી સંબંધો મજબૂત કરવા માટે 5 જૂને બિઝનેસ કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી. જેમાં MEAએ FICCIની સાથે મળીને આ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બન્ને પક્ષોએ વેપારી સંબંધો, રોકાણ, ટેક્નોલોજી જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. તો આ તરફ, હવે 6 જૂને ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા સંવાદની ચોથી બેઠકમાં પણ વેપાર સંબંધ અને સંપર્કને વધારવા માટે ચર્ચાઓ થશે. અને સાથે જ ક્ષેત્રીય સુરક્ષા, આતંકવાદ અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે પણ વિચારોની આપ લે કરવામાં આવશે.