- રાહુલ ગાંધીના પક્ષને પાંચ રાજ્યોમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણીમાંથી ફુરસદ જ નથી
- નીતીશ કુમારના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો
- INDIA ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકાને લઇને મોટું નિવેદન
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિપક્ષી દળોના INDIA ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકાને લઇને મોટું નિવેદન કર્યું છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે તે લોકો INDIA ગઠબંધનમાં કોંગ્રેસને આગળ વધારી રહ્યા હતાં. પણ રાહુલ ગાંધીના પક્ષને હાલમાં પાંચ રાજ્યોમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણીમાંથી ફુરસદ જ નથી. આ સંજોગોમાં ગઠબંધન બાબતે વાત થઇ શકતી નથી. વિધાનસભાની ચૂંટણીઓ પછી આ બાબતે વાત કરીશું. નીતીશ કુમારના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે નીતીશ કુમારે ગુરુવારે પટણામાં ડાબેરી પક્ષો દ્વારા યોજવામાં આવેલી ભાજપ હટાવો દેશ બચાવો રેલીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવા માંગે છે પણ અમે લોકો એવું થવા નહીં દઇએ. હાલમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેથી વાત થઇ શકતી નથી.