ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. જે કારણે તેની ગતિ અવરોધવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનું ષડયંત્ર કર્યું હતું. જેમાં ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. જેકો વડાપ્રધાન મોદીએ તેમના આ ષડયંત્રને પોતાના પ્લાન બીથી ફેલ કરી દીધું છે, અને ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરી છે. બીજી ત્રીમાસિક જીડીપીના આંકડા ટ્રમ્પના ષડયંત્રને જડબાતોડ જવાબ છે.જોકે ટ્રમ્પના ટેરિફનો પ્રભાવ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે, તેમ કહેવું થોડી ઉતાવળ હશે.
આશા કરતા પણ વધારે નાણાકીય વર્ષની બીજી ત્રીમાસિક દરમિયાન ભારતનો જીડીપી વિકાસ દર 8.2 ટકા રહ્યો છે. કારણ કે, RBI દ્વારા જીડીપી ગ્રોથનું અનુમાન 6 ટકા લગાવવામાં આવ્યું હતું. જ્યારે રેટિંગ એજન્સી દ્વારા 7 થી 7.6 ટકા વચ્ચે જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન લગાવ્યું હતું. એટલે કે ભારત પોતાની અર્થવ્યસ્થા સુધારવા માટે દરેક પાસા પર કામ કરે છે. આ સાથે બીજા ત્રીમાસિક દરમિયાન મેન્યુફેક્ચરિંગમાં 9.1 ટકા અને બાંધકામ ક્ષેત્રમાં 7.2 ટકા ઉછાળો જોવા મળ્યો છે.
અમેરિકાને મળ્યો જડબાતોડ જવાબ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વિકાસ યાત્રા રોકવા માટે 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પને હતું કે, આનાથી ભારત ઝુકી જશે અને અમેરિકાના દબાણમાં આવીને તેમના નિર્ણયનો અમલ કરશે. જોકે, આવું કશું થયું નહીં. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો ભારતની અર્થવ્યવસ્થાને ડેડ ઈકોનોમી પણ કહી હતી. ભારતે પોતાના પ્લાન B દ્વારા ટ્રમ્પની ટેરિફ ચાલ નિષ્ફળ બનાવી અને બીજી ત્રીમાસિકમાં જીડીપી ગ્રોથમાં વધારો નોંધાવ્યો છે.
શું છે ભારતનો પ્લાન B?
ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આવામાં કોઈપણ વસ્તુનું વેચાણ કરવા માટે ભારતમાં બહોળો ગ્રાહક વર્ગ મળે છે. જે કારણે ભારતીય બજારોમાં પ્રવેશ મેળવાની ઈચ્છા દરેક વ્યાપારીની હોય છે. ભારત પાસે ડિમાન્ડ પાવર છે. માંગ ભારતની સૌથી મોટી તાકાત છે. અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાના કારણે 50 ટકા ટેરિફ લગાવ્યો હતો, તે દિવસથી જ ભારતે પોતાના પ્લાન Bની અમલવારી માટે તૈયારી શરૂ કરી દીધી હતી.
ટેરિફની અસર ઓછી કરવા માટે ભારતે ડોમેસ્ટિક ડિમાન્ડ, ઈન્વેસ્ટમેન્ટ અને પોલિસી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંતર્ગત ભારતે આવકવેરાની મર્યાદા 12 લાખ સુધીની કરી હતી.આ વચ્ચે ઘરેલુ વપરાશ, બાંધકામ અને સર્વિસ ક્ષેત્રોની ગતિમાં વધારો નોંધાઈ રહ્યો હતો. જે કારણે ટેરિફની અસર જીડીપીમાં ઓછી થઈ શકે. સરકારે વપરાશ, કેપેક્સ અને રિફોર્મ પર વધારે કામ કર્યું, જેનાથી ટેરિફની અસર ઘટી ગઈ હતી. જેને તમે ભારતનો પ્લાન B પણ કહી શકો છે.
આ માટે ભારત સરકાર દ્વારા બે રીતે કામ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ઘરેલુ માગ જાળવી રાખી અને રોકાણને પ્રત્સાહન આપ્યું. અમેરિકાના ટેરિફથી નિકાસ સેક્ટર પ્રભાવિત થયા છે, અને તેનો પ્રભાવ હજૂ પણ જોવા મળી રહ્યો છે. જોકે, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ સેક્ટરમાં વધારાના કારણે GDP ગ્રોથ રેટમાં વધારો થયો છે. ઈકોનોમી પર પ્રભાવ ઓછો કરવા માટે વ્યાજ દરો અને જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેનાથી ઘરેલું માંગમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ભારતનો કૂલ નિકાસ 6.75 ટકા વધ્યું છે. જ્યારે અમેરિકામાં મોકલવામાં આવેલા સામાનમાં 11.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દર્શાવે છે કે, ભારતે અમેરિકા પર વેપાર નિર્ભરતા ઘટાડીને અન્ય દેશોના બજારમાં પોતાની પહોંચમાં વધારો કર્યો છે. રેટિંગ એજન્સી મુડીસના રિપોર્ટની વાત કરવામાં આવે, તો અમેરિકા દ્વારા ભારતીય પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ પણ પોતાના નિકાસમાં વધારો કરવામાં સફળ રહ્યું છે. ભારત દ્વારા અમેરિકાના વિકલ્પરૂપે 50 દેશો સાથે વાટાઘાટો માટે ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 85,641 અંકે બંધ


