ઈંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન ભારત સામે 20 જૂનથી લીડ્સમાં શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ છે, જેના કારણે તેને પહેલી મેચમાં રમવું મુશ્કેલ બને છે. આ ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ મેચ દરમિયાન ઈજા થઈ હતી.
ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડે હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી. ગુસ એટકિન્સન અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘ગુસ એટકિન્સન આ મહિનાના અંતમાં ભારત સામેની પહેલી ટેસ્ટમાં રમવા માટે શંકાસ્પદ છે. આનું કારણ છે કે તેના જમણા હેમસ્ટ્રિંગમાં ખેંચાણ છે.’
ગુસ એટકિન્સન અત્યાર સુધીમાં 12 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેને માટે 55 વિકેટ મેળવી છે. ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ 6 જૂનથી શરૂ થશે અને એ જોવું રસપ્રદ રહેશે કે ઈંગ્લેન્ડ ટીમ કયા ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરે છે.
સંપૂર્ણપણે ફિટ નથી ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર
ભારત સામે સિરીઝ માટે કેપ્ટન બેન સ્ટોક્સ વાપસી કરી છે. આ સાથે તેને ઝિમ્બાબ્વે સામે લાંબા વિરામ પછી બોલિંગ પણ શરૂ કરી દીધી છે. જોફ્રા આર્ચર આઈપીએલમાં રમી ચૂક્યો છે, પરંતુ તેના ફિટનેસ લેવલ વિશે કોઈ ખાતરી નથી. આ સિવાય ક્રિસ વોક્સ ઈન્જરી પછી પરત કરી રહ્યો છે. જ્યાં સુધી માર્ક વુડનો સવાલ છે, તે માર્ચમાં ઘૂંટણની સર્જરી પછી સિરીઝ માટે બેસ્ટ ફોર્મમાં ન હોઈ શકે. અન્ય ફાસ્ટ બોલર ઓલી સ્ટોન સાથે પણ આવું જ છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 ખેલાડીઓની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.