વર્ષ 2018માં કરુણ નાયર ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો હતો. જે બાદ તેને ઘરેલૂ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ તો પણ તેનું ટીમ ઈન્ડિયામાં કમબેક થયું નહીં. આ માટે કરુણ નાયરે ક્યારેય હિંમત હારી નહીં અને ઘરેલુ ક્રિકેટમાં મહેનત કરતો રહ્યો.
હાલમાં તેને આ મહેનતનું ફળ મળ્યું છે. 7 વર્ષ બાદ કરુણ નાયર ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા હાલમાં કરુણ નાયરે પોતાના ખરાબ દિવસોને યાદ કરતાં એક મોટો ખુલાસો કર્યો છે. તેને પૂર્વ ખેલાડીની સલાહને ઈગ્નોર કરી હતી અને તે આજે ખૂબ જ ખુશ છે.
કરુણ નાયરે કર્યો મોટો ખુલાસો
ભારતીય ટીમમાં પરત ફરનાર કરુણ નાયરને એક સમયે સ્ટાર ખેલાડીએ સંન્યાસ લેવાની સલાહ આપી હતી, જેથી તે લીગ ક્રિકેટ રમીને પૈસા કમાઈ શકે. આ સમયે કરુણ નાયરે તે સલાહ માની નહીં. મીડિયા સાથે વાત કરતાં કરુણ નાયરે કહ્યું કે ‘મને હજુ પણ યાદ છે કે એક પ્રમુષ ભારતીય ક્રિકેટરે મને ફોન કરીને કહ્યું હતું કે તારે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, કારણ કે આ લીગમાં મળતાં પૈસા મને સુરક્ષિત રાખશે. આવું કરવું સરળ હતું, પરંતું મને ખબર હતી કે પૈસા મળતાં છતાં આટલી સરળતાથી સંન્યાસ લેવા બદલ હું પોતાને ક્યારેય માફ કરી ન શકતો.’
ધમાકેદાર રીતે પરત ફરવામાં સફળ રહ્યો કરુણ નાયર
તેને આગળ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે ‘હું ફરી ભારત માટે રમવા માટે ગિવઅપ કરવા માગતો નથી. આ માત્ર 2 વર્ષ પહેલાની વાત છે અને આજે જોવો હું ક્યાં છું. આ એક ગાંડપણ છે, પરંતુ અંદરથઈ મને ખબર હતી કે હું ખૂબ જ સારો છું.’
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ કરુણ નાયરે કાઉન્ટી ક્રિકેટ રમી, જ્યાં તેને શાનદાર પ્રદર્શન કર્યું. આ સિવાય તેને રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફીમાં પણ કરુણ નાયરે બેટિંગમાં ધૂમ મચાવી. જેના કારણે તે ઈંગ્લેન્ડ સામે ફરી રમવા માટે તૈયાર છે.