ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 2-0થી આગળ છે. આ મેચના ટોસ દરમિયાન, કેપ્ટન રોહિત શર્મા અને જોસ બટલર હાથમાં ગ્રીન કલરની રિબન પહેરેલા જોવા મળ્યા.
જ્યારે મેચ શરૂ થઈ ત્યારે બધા ખેલાડીઓએ હાથમાં ગ્રીન રિબન પહેરી હતી. તમને જણાવી દઈએ કે ખેલાડીઓએ આ રિબન કેમ પહેર્યું હતું.
ખેલાડીઓ કેમ પહેરી ગ્રીન કલરની રિબન
બંને ટીમોના ખેલાડીઓ BCCI ની “અંગોનું દાન કરો, જીવન બચાવો” પહેલને સમર્થન આપવા માટે આ રિબન પહેરેલા જોવા મળે છે. ત્રીજી વનડે પહેલા, BCCI એ અંગદાન પહેલની જાહેરાત કરી, જેમાં ભારતીય ટીમના ક્રિકેટરોએ રેકોર્ડ કરેલા વીડિયોમાં લોકોને અંગોનું દાન કરવા અને જીવન બચાવવા માટે વિનંતી કરી.
BCCI દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં, વિરાટ કોહલી, શુભમન ગિલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહ સંદેશ આપતા જોવા મળ્યા.
ભારતમાં હજુ પણ લોકો અંગોનું દાન કરતા નથી. આ પરિસ્થિતિમાં, ICC પ્રમુખ જય શાહની અધ્યક્ષતામાં આ પહેલનો ઉદ્દેશ્ય આ અંગે જાગૃતિ લાવવાનો છે. આ પહેલનો ઉપયોગ કરીને, ICCનો ઉદ્દેશ્ય પરિવર્તન લાવવાનો અને શક્ય તેટલા વધુ લોકોના જીવન બચાવવા માટે લોકોને પ્રેરણા આપવાનો છે.
ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કર્યા ત્રણ ફેરફાર
2025 ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતે ત્રીજી વનડેમાં રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી બંનેને આરામ આપ્યો છે. વરુણ ચક્રવર્તી પણ પગની ઘૂંટીના દુખાવાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. આ મેચમાં અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને તક મળી છે.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), ટોમ બેન્ટન, લિયામ લિવિંગસ્ટોન, ગુસ એટકિન્સન, આદિલ રશીદ, માર્ક વુડ, સાકિબ મહમૂદ.


