રોહિત શર્માએ IPL 2025 દરમિયાન ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હિટમેને સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે રોહિત શર્મા પછી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે?
આ સૌથી મોટો સવાલ છે. પરંતુ ભારતીય ટેસ્ટ ટીમ માટે નવા કેપ્ટનની જાહેરાત ક્યારે થશે? આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે.
નવા કેપ્ટનની ક્યારે થશે જાહેરાત?
રોહિત શર્માએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. આ પરિસ્થિતિમાં, હવે BCCI એ નવા કેપ્ટનની પસંદગી કરવી પડશે. મીડિયા રિપોર્ટ મુજબ, નવા કેપ્ટનની જાહેરાત 23 મેના રોજ કરવામાં આવશે. BCCI એ નવા કેપ્ટનની જાહેરાત કરવા માટે મીડિયા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું છે.
ભારતીય ટીમ IPL 2025 પછી ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પ્રવાસમાં ભારતીય ટીમને નવો ટેસ્ટ કેપ્ટન મળવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી થાય તે પહેલાં નવા ભારતીય ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.
આ ખેલાડી રેસમાં સૌથી આગળ
એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા પછી શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળશે. તે રેસમાં આગળ છે. જો આપણે જસપ્રીત બુમરાહની વાત કરીએ તો, તે ઘણી મહત્વપૂર્ણ સિરીઝ અને ટુર્નામેન્ટ પહેલા ઈજાના કારણે બહાર રહ્યો છે. તેને ઘણીવાર ઈજાઓની સમસ્યા રહે છે. આ સંદર્ભમાં, તે કેપ્ટનશીપની રેસમાં ઘણો પાછળ છે. કેપ્ટન બનવાની રેસમાં શુભમન ગિલનું નામ સૌથી આગળ છે. તે ભારત માટે સતત ટેસ્ટ અને વનડે રમી રહ્યો છે.
નિવૃત્તિ લઈ શકે છે વિરાટ કોહલી
મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તેને આ અંગે BCCI સાથે પણ વાત કરી છે. પરંતુ બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે તેને થોડો સમય કાઢીને કાળજીપૂર્વક વિચારવાનું કહ્યું છે. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ સાથે જાય, કારણ કે તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. વિરાટ કોહલીએ પહેલા પણ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચોમાં ઘણા રન બનાવ્યા છે.


