ચીને હાલમાં જ રેર અર્થ ધાતુઓના એક્સપોર્ટ પર મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધ લગાવ્યો છે, જેનાથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. રેર અર્થ ધાતુઓ જેવી કે નિયોડિમિયમ, ડાઈસ્પ્રોસિયમ અને ટેરબિયમ આધુનિક ટેકનોલોજી જેવી કે ઈલેકટ્રિક વ્હીકલ્સ, સ્માર્ટફોન, વિંડ ટરબાઈન્સ અને મિસાઈલ સિલ્ટમ માટે ખુબ જરુરી માનવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે દુનિયાની 90 ટકા રેર અર્થ પ્રોસેસિંગ ફક્ત ચીનના માધ્યમથી થાય છે. ચીને આ ઘાતુઓ પર બેન લગાવ્યા પછી ભારત સહિત ઘણા ઉદ્યોગોને ઘણો મોટો ફટકો પડ્યો છે. પરંતું આ વખતે ભારતે ફક્ત ચિંતા નહીં પણ એક ખાસ યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.
આત્મનિર્ભરતા તરફ પહેલુ કદમ – પિયૂષ ગોયલ
ભારત સરકારે આ મુશ્કેલીને વેક અપ કોલ ગણાવી છે. કેન્દ્રિય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત હવે રેર અર્થ માટે કોઈ પણ દેશ પર નિર્ભર રહેશે નહીં. ભારતે ચીન સિવાયના ઘણા ઓપ્શન શોધી લીધા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને વિયતનામ જેવા દેશોની સાથે સ્ટ્રેટેજીક પ્લાનિંગ બનાવવામાં આવી રહી છે જેથી રેર અર્થની સરળતાથી સ્પલાય થઈ શકે.
પિયુષ ગોયલે સ્વિટ્ઝરલેન્ડમાં પોતાના સત્તાવાર પ્રવાસમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારત ઘરેલુ સ્તર પર પણ ખનીજોની શોધખોળ, પ્રોસેસિંગ અને તેના ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. સરકારે પ્રોડક્શન લિંક્ડ ઈંસેટિવ સ્કીમ હેઠળ અર્થ સાથે જોડાયેલા ઉદ્યોગોને મદદ કરવા માેટની યોજના બનાવી છે.