ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના લોન્ચિંગને 10 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યું છે, કારણ કે પાયલ ગ્રુપની જરૂરી પ્રી-ફ્લાઈટની ક્વોરેન્ટાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ મિશન Axiom Spaceના Ax-4 પ્રોગ્રામનો ભાગ છે. આ મિશનની શરૂઆત 29મેના રોજ થવાની હતી, ત્યારબાદ 8 જૂન માટે ફરીથે રિ-શેડ્યુલ કરવામાં આવ્યું હતું પણ ઓપરેશનલ તૈયારીઓ અને ક્વોરેન્ટાઈનની ચાલી રહેલી પ્રક્રિયાઓના કારણે હવે લોન્ચિંગ 10 જૂને આયોજિત કરવામાં આવશે.
શુભાંશુ શુક્લા મિશનના પાયલટ હશે
તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટ તરીકે સેવા આપશે અને ISSનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય બનવાના છે. તે અંતરીક્ષમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલા રાકેશ શર્મા હતા, જેમને 1984માં ઐતિહાસિક મિશન કર્યુ હતું. Ax-4 મિશનમાં મિશન કમાન્ડર તરીકે પીગી વ્હિટસન સામેલ છે, જે એક અનુભવી નાસા અંતરીક્ષ યાત્રી છે. આ સાથે જ પોલેન્ડના નિષ્ણાત સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીથી ટિબોર કાપુ પણ છે. જે પોતાના દેશોના ISS માટે પ્રથમ ઉડાન ભરવાના છએ. પાયલટ ગ્રુપ 25 મેથી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લોન્ચ પહેલા બે અઠવાડિયાથી ક્વોરેન્ટાઈન છે.
દરરોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.
આ ‘સ્વાસ્થ્ય સ્થિતિ’ પ્રોટોકોલ એ તમામ માનવ અવકાશ ઉડાન માટે એક માનક સુરક્ષા માપદંડ છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અવકાશયાત્રીઓ કોઈપણ ચેપી રોગોથી મુક્ત હોય, જે મિશનને મુશ્કેલીમાં મુકી શકે છે અથવા ISSના અન્ય ક્રૂ સભ્યો માટે ખતરો ઉભો કરી શકે છે. આ દરમિયાન અંતરીક્ષ યાત્રીઓને એક નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવે છે, જ્યાં સ્વચ્છતાના નિયમ કડક રીતે લાગુ હોય છે. તેમનું દરરોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.