ક્રિકેટ પ્રેમીઓ ફરીથી IPL 2025 ની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL બંધ કરવામાં આવી હતી. હવે જ્યારે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે અને બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત થઈ છે, ત્યારે IPL ફરી શરૂ થવા અંગે એક મોટી અપડેટ આવી છે.
IPL 2025 માં અત્યાર સુધીમાં 58 મેચ રમાઈ છે. આ સિઝનમાં 12 લીગ મેચ અને ફાઈનલ સહિત ચાર પ્લેઓફ મેચ હજુ રમવાની બાકી છે. જો પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવે તો 13 વધુ લીગ મેચ રમાશે. આ બાકી રહેલી મેચોનું શેડ્યૂલ આજે એટલે કે સોમવારે રાત્રે અથવા મંગળવારે જાહેર થઈ શકે છે.
IPL 2025ને લઈને મોટું અપડેટ
IPL અંગે બીજી એક અપડેટ એ છે કે હવે ઘણા વિદેશી ખેલાડીઓ બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે. આમાં મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, ડેવાલ્ડ બ્રેવિસ અને ફિલ સોલ્ટ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ખેલાડીઓએ પોતપોતાની ટીમોને પણ જાણ કરી દીધી છે.
એક અપડેટ એ પણ આવ્યું છે કે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ હવે રદ્દ ગણવામાં આવશે. તે મેચ ફરી રમાશે નહીં. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આ જાણકારી સામે આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે ગુજરાતની ટીમ
ગુજરાતે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ ટીમ પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના ખેલાડીઓ રવિવારે સાંજે સ્ટેડિયમ પહોંચ્યા અને સખત પ્રેક્ટિસ કરી. સારી વાત એ છે કે ટીમમાં ગુજરાતના વિદેશી ખેલાડીઓ હાજર છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, BCCI એ IPL 2025 ની બાકીની મેચો યોજવા માટે 3 શેડ્યુલ તૈયાર કર્યા છે. આ યોજનાઓમાંથી એક એ છે કે પંજાબ કિંગ્સને બીજું કોઈ મેદાન આપવામાં આવશે, તેમની મેચો ધર્મશાળામાં યોજાશે નહીં. દિલ્હીને બીજું હોમ ગ્રાઉન્ડ પણ મળશે. અન્ય બધી ટીમોના મેચ તેમના મેદાન પર યોજાશે. IPL 2025 ની બાકીની મેચો 16 મેથી શરૂ થઈ શકે છે.


