- શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શાનદાર જીત
- ભારત હવે સાઉથ આફ્રિકા સામે રમશે આગામી મેચ
- સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ રમવા ટીમ ઈન્ડિયા કોલકાતા રવાના
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. જો કે, હજુ પણ ભારતીય ટીમ પોતાની 2 લીગ મેચ રમશે. જેમાંથી એક મેચ 5 નવેમ્બરે કોલકાતામાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ છે. આ મેચ રમવા માટે ભારતીય ટીમ મુંબઈથી કોલકાતા માટે રવાના થઈ છે.
મુંબઈ એરપોર્ટ પર જોવા મળી ભારતીય ટીમ
કોલકાતા માટે રવાના થેયલી ટીમ ઈન્ડિયા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ છે. ભારે સુરક્ષા વચ્ચે ટીમના ખેલાડીઓને એરપોર્ટની અંદર એન્ટ્રી આપવમાં આવી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ સહિત અનેક ખેલાડીઓ જોવા મળ્યા છે. ભારતીય ખેલાડીઓની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન પણ જોવા મળ્યા છે.
શ્રીલંકા વિરુદ્ધ શાનદાર જીત
ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર જીત મેળવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકાની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા હતા. જેથી શ્રીલંકાને જીત માટે 358 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ છે.