દેશની જાણીતી એરલાઈન કંપની ઈન્ડિગો મોટા સંકટનો સામનો કરી રહી છે. ગત 5 દિવસ દરમિયાન ઈન્ડિગો એરલાઈનની 2000થી વધુ ફ્લાઈટ રદ્દ થઈ ચુકી છે. જેના કારણે હવાઈ મુસાફરી કરતા લોકોમાં મોટી સમસ્યા સર્જાઈ છે. ઘણા મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે. ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. જે કારણે મોટાભાગના મુસાફરો આ કારણે પ્રભાવિત થઈ રહ્યા છે. ઘણા લોકો પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી શક્યા નથી. હવે તમારા મનમાં એક સવાલ થતો હશે, ઈન્ડિગો પર ખરેખર શું સંકટ છે? એવું તો શું થયું કે, અચાનક ઈન્ડિગોની આખી સિસ્ટમ જ ઠપ થઈ ગઈ.
ઈન્ડિગો સંકટની શરૂઆત કેવી રીતે થઈ?
ગત દિવસોથી ઈન્ડિગો નાની ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી હતી. જે કારણે ફ્લાઈટ પણ લેટ થઈ રહી હતી. ઈન્ડિગો એરલાઈન આ માટે ખરાબ મોસમને જવાબદાર ગણે છે. ઈન્ડિગો સંકટની શરૂઆત થઈ, જ્યારે સરકારે ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશનના નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિયમ દ્વારા સરકાર પાયલટોને વધારાના થાકથી બચાવવા માંગે છે. જોકે, ઈન્ડિગો એરલાઈન પહેલાથી જ સ્ટાફની તંગીથી પરેશાન હતી. આવામાં નવા નિયમોને કારણે એરલાઈન પર દબાણ વધી ગયું છે. જેથી ઘણી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. આ કારણે મુસાફરો માટે મોટી સમસ્યા સર્જાઈ છે.
નવા સરકારી નિયમોથી કંપની પર વધ્યું દબાણ
સરકારના ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન લાગુ કરવાના કારણે ઈન્ડિગો પોતાના પાયલટોને આરામ આપવો પડ્યો હતો. કંપની પાસે પહેલાથી જ સ્ટાફ ઓછો હતો. આવામાં તેની સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. જે કારણે કંપનીએ ઘણી ફ્લાઈટ રદ્દ કરી દીધી હતી, જે કારણે આ સમગ્ર સમસ્યા સર્જાઈ છે.
ઈન્ડિગોનું નેટવર્કના કારણે પણ વધી મુશ્કેલી
દેશની સૌથી મોટી એરલાઈન હોવાનું ગૌરવ જ ઈન્ડિગોને ભારે પડ્યું હતું. આટલા મોટા નેટવર્કમાં કોઈ એક વસ્તુ બગડે છે, ત્યારે તેની અસર સમગ્ર ઓપરેશન પર દેખાય છે. હજારો ક્રુ મેમ્બર, ઘણા એરપોર્ટ પર ચાલતી 2000થી વધારે ફ્લાઈટ આ બધુ દબાણ એક સાથે તેમના પર આવી ગયું. જે કારણે પરિસ્થિતિ વધુ કથળી હતી.
એરબસ A320ની ચેતવણી બાદ કથળી સ્થિતિ
એરલાઈન કંપનીના એરબસ 320 તરફથી સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું હતું. જે કારણે રાતના 12 વાગ્યા પછીની ફ્લાઈટ્સને રદ્દ કરવાની ફરજ પડી છે. જે કારણે અચાનક ઘણી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. આની અસર સમગ્ર વ્યવસ્થા પર પડી. વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે હજારો મુસાફરોને તેની અસર થઈ.
DGCAના નિર્ણયથી મળી ઈન્ડિગોને આંશિક રાહત
વધતા જતા વિવાદ અને દબાણ વચ્ચે ડીસીજીએ દ્વારા પોતાના નિયમ પરત ખેંચ્યો હતો. જેમાં પાયલટને અઠવાડિયાની આરામ રજાથી બદલવાની પરવાનગી ન હતી, જે હવે આપવામાં આવી છે. આ બદલાવ દ્વારા ઓપરેશનને સ્થિર કરવામાં મદદ મળી શકે છે.


