અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો હજી પણ યથાવત્ છે. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે પણ ઇન્ડિગોની વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી છે.
મુસાફરોને ભારે ધક્કો
મળતી માહિતી મુજબ, અમદાવાદ આવતી અને જતી ઇન્ડિગોની કુલ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટો રદ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સતત રદીકરણના કારણે અનેક મુસાફરોના પ્રવાસ કાર્યક્રમો ખોરવાયા છે. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. ઇન્ડિગો તરફથી આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો : Surendranagar માં ઘુડખર વિરુદ્ધ ખેડૂતો લાલઘૂમ, 10 ગામના ખેડૂતોએ પાક બચાવવા તંત્ર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી


