By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    54 minutes ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    3 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    4 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પિતૃઓને સદ્ગતિ આપતી ઈન્દ્ર એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પિતૃઓને સદ્ગતિ આપતી ઈન્દ્ર એકાદશી

agragujaratnews
Last updated: 2023/10/02 at 2:09 PM
2 years ago
Share
પિતૃઓને સદ્ગતિ આપતી ઈન્દ્ર એકાદશી
SHARE

રાજા ઈન્દ્રે ભાદરવા વદ એકાદશીનું વ્રત કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. આ વ્રતના પ્રભાવે તેમનાં માતા-પિતાનો મોક્ષ થયો હતો. એની યાદ અપાવતી એકાદશી `ઈન્દ્ર’ કે `ઈંદિરા’ એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી અધ:પતન પામેલા પિતૃઓને સદ્ગતિ અને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, `સતયુગમાં મહિષ્મતિ નગરીમાં ઈન્દ્રસેન નામે પ્રજાપાલક રાજા થઈ ગયો. એક દિવસ તેની સભામાં નારદજી આવી પહોંચ્યા. રાજાએ પ્રણામ કરીને તેમનો આદર-સત્કાર કર્યો અને પૂજન-અર્ચનના પ્રકારો અંગે પ્રશ્ન કર્યો. નારદજીએ પૂજાના ત્રણ શ્રેષ્ઠ પ્રકારો કહી સંભળાવ્યા.’

  • વૈદિક પ્રકાર : પુરુષસુક્ત, સુવર્ણ ધર્મ, મહાપુરુષ વિદ્યા, રાજન સામગાન, વ્રતવિધિમાં પ્રથમ પુષ્પાંજલિથી પ્રારંભ, અભિષેક, ગંધ, પુષ્પ અને નૈવેદ્યથી પંચોપચાર, દશોપચાર, ષોડ્શોપચાર, શંખોદક, અતો દેવા મંત્રથી, વરુણ મંત્રો, નારાયણ સુક્ત બાદ ધૂપ-દીપ, ત્યારપછી ઉત્તર પુષ્પાંજલિ અને ધ્યાન. પછી વિસર્જન મંત્રો, પૂજા પરિપૂર્ણ થયે સત્વરે પાટલો છોડી દેવો નહીં. મુહૂર્તો ક્ષણિકો ભવેત્: ઉદ્ભવેલો આહ્લાદ થોડી વાર અનુભવવો, વાગોળવો.
  • તાંત્રિક પ્રકાર : ન્યાસ, મુદ્રા, ગૃહમંડપ, ભૂમિપૂજન, કળશ સ્થાપના, ભજન-કીર્તન, ધૂન વગેરે. આ પ્રદર્શનીય વસ્તુ બને છે.
  • મિશ્ર પ્રકાર : સંસ્કૃત અને પ્રાકૃત સ્ત્રોતો, સ્તવનો, રામલીલા, કૃષ્ણલીલા, લોકપ્રાધાન્ય પ્રયોગો વગેરે માન્ય ગણાય છે. મુમુક્ષુ માટે તો વૈદિક પ્રણાલિકા જ કામની અને તે પણ વિધિસર અનુસરવી જોઈએ. પૂજા-પાઠ, હોમ-હવન, મંત્ર-જાપ, એમાં જ સર્વસ્વ માનવાનું નથી. ચિત્ત નિર્મળ કરવા આ બધી ક્રિયા જરૂરી છે. ચિત્ત નિર્મળ થયા પછી જ જ્ઞાન સંઘરવાની પાત્રતા સર્જાય છે. પાત્રતા સર્જાઈ ગયા પછી ઉપાસના ગૌણ બને છે. પૂજામાં જે વૈદિક સુક્તો ભણીએ છીએ તેમાં પરમ તત્ત્વને ઓળખવાની સામગ્રી જ ભરી છે. નારદજી કહે છે, `હે રાજન્! પૂર્વજોના ગુણોનું સતત ચિંતન અને આચરણ એ જ તેમનું સાચું શ્રાદ્ધ છે. પૂર્વજન્મના કર્મ અનુસાર જ પ્રારબ્ધ ઘડાય છે અને આ ભવમાં કરેલાં કર્મ અનુસાર આગામી ભવનું પ્રારબ્ધ બંધાય છે.

નારદજી આગળ કહે છે, `હે ઈન્દ્રસેન! પાપ પ્રત્યે તિરસ્કાર કે ધિક્કાર એ જ ગમે ત્યારે પાપનો નાશ કરનારું તીક્ષ્ણ શસ્ત્ર બને છે. પાપના વિષચક્રમાં એક વાર ફસાઈ ગયા પછી સંત-સમાગમ વિના બહાર નીકળી શકાતું નથી. પાપનો બાપ છે લોભ અને પાપની મા છે મમતા. અંત:કરણમાં પાપી વિચાર ઊગે કે તરત જ ડામી દો, જરાય વિલંબ ન કરો.’

ઈન્દ્રસેનને નારદજી ઈન્દ્ર એકાદશીનું વ્રત કઈ રીતે કરવું એની વિધિ સમજાવે છે. આ એકાદશીના દિવસે પ્રાત:કાળે ઊઠી જળાશયે જઈ સ્નાન કરવું. દુર્ગતિ પામેલા પિતૃઓને સદ્ગતિ મળે તે માટે તથા પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. આગલા દિવસે એક ટાણું ભોજન કરીને રાત્રે જમીન પર શયન કરવું. પછી દૃઢ સંકલ્પ કરવો કે હું એકાદશીનો ઉપવાસ કરીશ.

ત્યારપછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવાં. જે રસોઈ વધી હોય તે ગૌમાતાને ખવડાવવી, રાત્રે જાગરણ કરવું. દ્વાદશીના દિવસે સવારે શ્રીહરિનું પૂજન-અર્ચન ઉપરોક્ત વિધિ અનુસાર કરવું. આ પ્રમાણે ઉપદેશ આપીને નારદ મુનિ અંતર્ધાન થઈ ગયા. રાજાએ તેમના આદેશ અનુસાર ઈન્દ્ર એકાદશીનું વ્રત કર્યું. આથી ઈન્દ્રસેન રાજાએ નિર્વિઘ્નપણે રાજ્ય કર્યું અને પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થઈ છે.’

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?