ભારતે જળ સિંધુ કરારને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં પાણી માટે વલખાં જોવા મળી રહ્યા છે. દુશ્મન દેશ પાણીના એક-એક ટીપા માટે પરેશાન થયુ છે. કારણ કે અહીં પાણીનો પ્રવાહ ઓછો થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં 15 ટકા ડેમ સુકાઇ રહ્યા છે. જેના કારણે જળાશયોમાં તળિયા ઝાટક પરિસ્થિતિ પેદા થઇ છે. પાણી જેવી પ્રાથમિક જરુરિયાત બંધ થતા પાડોશી દેશવાસીઓ હેરાન થઇ રહ્યા છે.
સિયાલકોટમાં સ્થિતિ વધુ ગંભીર
પાકિસ્તાનના પંજાબમાં સિંધુ પર ચશ્મા ડ઼ેમ 644 મીટર પર હતો. જે હવે 638 મીટર પર પહોંચતા મૃત અવસ્થા પર જોવા મળી રહ્યો છે. મીરપુરમાં ઝેલમ પર મંગલા ડેમનું જળસ્તર 1,163 મીટર હતુ. જે હવે 1,050 મીટર પર આવી પહોંચ્યુ છે. મીડિયા રિપોર્ટ મુજબ જણાવવામાં આવ્યુ છે કે, સિયાલકોટમાં સ્થિતિ વધુ ગંભીર છે. જ્યાં ચિનાબ નદીનો પ્રવાહ 26,645 ક્યૂસેકથી ઘટીને 3,064 ક્યૂસેક પર આવી ગયો છે.
પાકિસ્તાનમાં અનાજ ભંડાર પર સંકટ
પાણીનો પ્રવાહ ઓછો થતા ખેતી પર મોટું સંકટ જોવા મળી રહ્યુ છે. ખેતી ન થવાને કારણે અનાજના ભંડાર ખાલી થઇ રહ્યા છે. પાકિસ્તાનમાં બેરોજગારીની સાથે ભૂખમરોની સ્થિતિ પેદા થઇ રહી છે. પાકિસ્તાને જળ સિંધુ કરાર શરુ રાખવા માટે કેન્દ્રીય સરકારને ઘણી વાર પત્ર પણ લખ્યા છે. પાડોશી દેશ પાણી માટે ભારત સામે માગ કરી રહ્યુ છે. ત્યારે આ મામલે શું નિર્ણય લેવાય છે. તે અંગે જોવુ રસપ્રદ બની રહેશે.