શનિવારે IPL 2025 માં એક રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હરાવ્યું. આ મેચમાં એક એવી ઘટના જોવા મળી જેને બધાનું ધ્યાન ખેંચ્યું.
ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં, જ્યારે KKRના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક બેટિંગ કરવા આવ્યા, ત્યારે અમ્પાયરે મેચ બંધ કરી દીધી અને નારાયણનું બેટ ચેક કર્યું. નવાઈની વાત એ છે કે આ સમય દરમિયાન તેનું બેટ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું.
સુનીલ નારાયણનું બેટ ગેજમાં નહોતું ફિટ
સુનીલ નારાયણના બેટનો સૌથી જાડો ભાગ માપન માટે ઉપયોગમાં લેવાતા ગેજમાં ફિટ થયો ન હતો. સુનીલ નારાયણે અહીં સૈયદ ખાલિદ સાથે આ બાબતે ચર્ચા કરી. ત્યારબાદ અમ્પાયરે તેમના સાથી અંગક્રિશ રઘુવંશીનું બેટ ચેક કર્યું, જે કોઈપણ સમસ્યા વિના પાસ થયું.
IPL 2025માં સુનીલ નારાયણે આ રીતે પ્રદર્શન કર્યું
સુનીલ નારાયણે આ સિઝનમાં અત્યાર સુધીમાં KKR માટે 6 મેચ રમી છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે 44 રનની ઈનિંગ રમી હતી. આ પછી, તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ 44 રન બનાવ્યા. પરંતુ તે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે કંઈ ખાસ કરી શક્યો નહીં. મુંબઈ સામે નારાયણ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેને લખનૌ સામે 30 રન બનાવ્યા.
KKRનો ટોપ સ્કોરર હતો રઘુવંશી
સુનીલ નારાયણે મેચમાં 4 બોલમાં 5 રન બનાવ્યા, જ્યારે રઘુવંશી કોલકાતા માટે સૌથી વધુ સ્કોરર રહ્યા, તેને 28 બોલમાં 37 રન બનાવ્યા. IPLના નિયમો મુજબ બેટની આગળની પહોળાઈ 10.79 સેમીથી વધુ ન હોવી જોઈએ. બ્લેડની જાડાઈ 6.7 સેમી સુધી હોવી જોઈએ અને ધારની પહોળાઈ 4 સેમીથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય બેટની લંબાઈ 96.4 સેમીથી વધુ ન હોવી જોઈએ.
એનરિચ નોર્ટજેનું બેટ પણ નહોતું નિયમો અનુસાર
મેચમાં પાછળથી, જ્યારે KKRની વિકેટ પડી રહી હતી, ત્યારે ઝડપી બોલર એનરિચ નોર્ટજે અણનમ રહેનાર છેલ્લો બેટ્સમેન હતો. ફિલ્ડ અમ્પાયર મોહિત કૃષ્ણદાસ અને સૈદર્શન કુમારે શોધી કાઢ્યું કે નોર્ટજેનું બેટ પણ બેટના કદના નિયમો અનુસાર નહોતું. આના કારણે મેચ શરૂ થવામાં થોડો વિલંબ થયો કારણ કે બેન્ચ પ્લેયર રહેમાનુલ્લાહ ગુરબાઝ દ્વારા વધારાના બેટ મેદાન પર લાવવામાં આવ્યા હતા.


