રોહિત શર્મા હાલમાં IPLમાં ભાગ લઈ રહ્યો છે. પરંતુ તે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં રોહિતનું બેટ ફોર્મમાં નથી. રોહિત શર્માને તેના ખરાબ ફોર્મ છતાં એક ખાસ સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન રોહિતને ગિફ્ટ આપવા જઈ રહ્યું છે.
રોહિત શર્માને મળશે ખાસ સન્માન
મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈ ક્રિકેટ એસોસિએશન કાઉન્સિલની બેઠકમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવવા માટે ચર્ચા થઈ છે. આ પરિસ્થિતિમાં, ટૂંક સમયમાં આપણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડ જોઈ શકીશું.
રોહિત હાલમાં IPLમાં ભાગ લઈ રહ્યો છે. તેને અત્યાર સુધી રમાયેલી મેચોમાં કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તેને CSK સામે 0 રન બનાવ્યા. આ પછી, GT સામે રમાયેલી બીજી મેચમાં રોહિતે 8 રન બનાવ્યા અને KKR સામે, હિટમેનના બેટમાંથી 13 રન આવ્યા. RCB સામે રમાયેલી છેલ્લી મેચમાં રોહિતે ફક્ત 17 રન બનાવ્યા હતા. પરંતુ હવે રોહિતને તેના ખરાબ ફોર્મ વચ્ચે વિશેષ સન્માન મળવાની અપેક્ષા છે.
ભારતનો બીજો સફળ કેપ્ટન
રોહિત શર્મા ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એમએસ ધોની પછી રોહિત શર્મા ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. રોહિતે ભારત માટે T20 વર્લ્ડકપ 2024 જીત્યો. આ પછી, તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટ્રોફી જીતીને ભારતનું ગૌરવ વધાર્યું. જ્યારે એમએસ ધોનીએ ભારત માટે 3 ICC ટ્રોફી જીતી છે. તેને 2007 માં T20 વર્લ્ડકપ, 2011 માં ODI વર્લ્ડકપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ પરિસ્થિતિમાં, હિટમેન હાલમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન છે.
આ દિવસે લેવામાં આવશે નિર્ણય
વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડ પર કોનું નામ લખાશે તેનો નિર્ણય 15 એપ્રિલે લેવામાં આવી શકે છે. આ દિવસે MCA ની AGM યોજાવાની છે. તમને જણાવી દઈએ કે વાનખેડે સ્ટેડિયમના ઈસ્ટ સ્ટેન્ડનું નામ સુનીલ ગાવસ્કરના નામ પરથી રાખવામાં આવ્યું છે. વેસ્ટ સ્ટેન્ડનું નામ વિજય મર્ચન્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. નોર્થ સ્ટેન્ડનું નામ દિલીપ વેંગસરકર અને સચિન તેંડુલકરના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાનખેડે સ્ટેડિયમની મીડિયા ગેલેરીનું નામ બાલ ઠાકરેના નામ પરથી રાખવામાં આવ્યું છે. 2022 માં, MCA એ નિર્ણય લીધો હતો કે સ્ટેડિયમની અંદર સચિન તેંડુલકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્માને આ સન્માન મળે છે કે નહીં.


