મંગળવારે પંજાબ કિંગ્સે 111 રનના સ્કોરનો બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 95 રનમાં ઓલઆઉટ કરીને ઈતિહાસ રચ્યો. યુઝવેન્દ્ર ચહલે મેચ વિનિંગ સ્પેલ બોલિંગ કરીને 4 ઓવરમાં 28 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ પછી, તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે માહવાશે તેના વિશે પોસ્ટ કરી અને તેની પ્રશંસા કરી.
માહવાશે ચહલ માટે કરી પોસ્ટ
ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પછી, યુઝવેન્દ્ર ચહલ અને આરજે માહવાશના નામ જોડવામાં આવી રહ્યા છે, પરંતુ બંનેએ આ અંગે કંઈ પુષ્ટિ આપી નથી. પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે, ત્યારબાદ આવા સમાચાર સામે આવ્યા છે.
આરજે માહવાશ પણ હવે પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં આવી રહી છે, જેના માટે યુઝવેન્દ્ર ચહલ રમી રહ્યો છે. ચહલે મંગાવલરને ઐતિહાસિક સ્પેલ ફેંક્યો, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. આ મેચ પછી માહવાશે ચહલ માટે પોસ્ટ કરી.
આરજે માહવાશે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં યુઝવેન્દ્ર ચહલ સાથેનો એક ફોટો શેર કર્યો છે કે જેમાં તે સેલ્ફી લઈ રહી છે. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે “કેટલો ટેલેન્ટેડ માણસ! એક કારણસર IPLનો સૌથી વધુ વિકેટ લેનાર! અસંભવ!
મેચ પછી યુઝવેન્દ્ર ચહલે શું કહ્યું?
પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા બાદ યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે “મને લાગે છે કે તે ટીમનો પ્રયાસ હતો, અમે સકારાત્મક રહેવા માંગતા હતા, પાવરપ્લેમાં 2-3 વિકેટ લેવા માંગતા હતા, પિચ સરળ નહોતી. પિચમાં ટર્ન પણ હતો. મારો પહેલો બોલ ટર્ન થયો, તેથી શ્રેયસે કહ્યું કે ચાલો સ્લિપ મૂકીએ, આ રમત જીતવા માટે અમારે વિકેટ લેવાની જરૂર હતી કારણ કે રન ઓછા હતા. મેં હંમેશા મારી જાત પર વિશ્વાસ રાખ્યો. હું હંમેશા વિચારું છું કે બેટ્સમેનોને કેવી રીતે આઉટ કરવા, મેં મારી ગતિ બદલી જેથી બેટ્સમેનોએ હિટ કરવાનો પ્રયાસ કરવો પડે.”


