ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. આ મેચ ધર્મશાળામાં રમાઈ રહી હતી. બીજા દિવસે IPL 2025 પણ બંધ કરી દેવામાં આવી. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ સ્ટાર્કની પત્નીએ જણાવ્યું છે કે તે સમયે દ્રશ્ય કેવું હતું.
તમને જણાવી દઈએ કે મિચેલ સ્ટાર્ક IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તેની પત્ની અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ તે રાત્રિની ઘટના શેર કરી છે જ્યારે પડોશી શહેરોમાં હવાઈ હુમલાના સાયરનને કારણે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી. પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન હતો ત્યારે મેચ અટકાવવામાં આવી હતી અને શરૂઆતનું કારણ ફ્લડલાઈટની નિષ્ફળતા હોવાનું જણાવાયું હતું.
તે સમયે ઓસ્ટ્રેલિયા અને દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા અન્ય ખેલાડીઓના પરિવારના સભ્યો સાથે સ્ટેન્ડમાં હાજર હતી. એલિસા અને તેની સાથે હાજર અન્ય લોકો શરૂઆતમાં તો શાંત રહ્યા, પણ પછી મામલો કાબુ બહાર ગયો.
પાવર ટાવર પર લાઈટ થઈ ગઈ હતી બંધ
એલિસાએ “વિલોટોક” પોડકાસ્ટ પર કહ્યું, “કેટલાક પાવર ટાવર પર લાઈટ બંધ થઈ ગઈ હતી અને અમે ત્યાં રાહ જોઈ રહ્યા હતા.” મેં થોડી સીટો દૂર એક અફવા સાંભળી કે વીજળી ગઈ હોવાથી અમારે સ્ટેડિયમ ખાલી કરવું પડશે. અમારી સાથે પરિવારનો મોટો સમૂહ અને વધારાનો સપોર્ટ સ્ટાફ હતો. બીજી જ મિનિટે તે માણસ આવ્યો જે અમારા ગ્રુપ સાથે હતો અને અમારી સાથે બસમાં હતો અને તેનો ફેસ સફેદ થઈ ગયો હતો.
એલિસાએ આગળ કહ્યું કે “તેને કહ્યું કે આપણે હવે જવું જોઈએ, અને અમે કહ્યું, ઓહ, ઠીક છે.” જાણે આપણે પહેલા બીજા બધાને સ્ટેડિયમ છોડી જવા દેવા માગતા પણ હતા અને ત્યાં રોકાઈ રહેવા સારું સમજતા હતા. આપણે કદાચ અહીં સુરક્ષિત છીએ, કારણ કે બાકીની દરેક જગ્યાએ, લોકો સીડીઓ નીચે ઉતરતા હશે.
આ પછી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ અને જ્યાં તેને લઈ જવામાં આવ્યો, ત્યાં પંજાબ અને દિલ્હીના ખેલાડીઓ પહેલાથી જ હાજર હતા. પછી બીજો એક માણસ બહાર આવ્યો, તેનો ફેસ ફિક્કો પડી ગયો હતો, તેને એક બાળકને પકડીને કહ્યું કે આપણે હવે જવું પડશે.
તણાવમાં હતા દરેક ખેલાડીઓ
એલિસાએ કહ્યું કે બધું એટલું ઝડપથી થયું કે ફાફ ડુ પ્લેસિસ શૂઝ વગર રૂમમાં હતો. તેણે કહ્યું, ખેલાડીઓ ત્યાં હતા. ફાફે શૂઝ પણ પહેર્યા ન હોતા. તેઓ બધા ત્યાં રાહ જોઈ રહ્યા હતા અને ખૂબ જ તણાવમાં દેખાતા હતા. મેં મિચને પૂછ્યું, ‘શું ચાલી રહ્યું છે?’ અને તેણે કહ્યું, ’60 કિલોમીટર દૂર એક શહેર પર હમણાં જ મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે.’
એલિસાએ આગળ કહ્યું કે “અને તેથી તે વિસ્તારમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો જેનો અર્થ એ થયો કે લાઈટો બંધ હતી કારણ કે તે સમયે ધર્મશાળા સ્ટેડિયમ એક દીવાદાંડી જેવું હતું.” ત્યારે જ અમને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો.
મેચના દિવસે, જમ્મુમાં હવાઈ હુમલાની ચેતવણી અને વિસ્ફોટોના અવાજોના અહેવાલો વચ્ચે, પંજાબના પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સહિત અનેક જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.
પંજાબ અને દિલ્હીના ખેલાડીઓ એકસાથે હતા: એલિસા
એલિસાએ કહ્યું કે અચાનક, અમને એક વાનમાં બેસાડીને હોટેલ પાછા લઈ જવામાં આવ્યા. ત્યાં પરિસ્થિતિ બહુ સારી ન હતી. અમે પંજાબના કેટલાક ખેલાડીઓ સાથે બસમાં બેઠા હતા. મને લાગે છે કે શ્રેયસ ઐયર મારી બસમાં હતો. એવું લાગતું હતું કે તમે ત્યાંથી નીકળતાની સાથે જ વાનમાં બેસી ગયા છો.
ટીમોને લાંબી રોડ અને ટ્રેન મુસાફરી કરીને દિલ્હી લાવવામાં આવી હતી. આઈપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ 17 મેના રોજ ફરી શરૂ થશે જેમાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઈઝીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે.


