ભલે IPL 2025ની ફાઈનલમાં RCB સામે પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સમગ્ર IPLમાં જે રીતે ટીમ જે રીતે રમી છે. તે આવનારા વર્ષો માટે બાકીની ટીમો માટે ચોક્કસપણે મોટી ખતરા સમાન છે.
આનું એક કારણ બીજું પણ છે અને તે છે શ્રેયસ ઐયરનું કેપ્ટનશિપ, જેને હંમેશા ટીમનું મોરલ ઊંચું રાખ્યું છે. અહીં ટીમના માલિક વિશે વાત કરીશું, જેમની એન્ટ્રી પછી ટીમનો આખી બદલાઈ.
તમને જણાવી દઈએ કે આ વાત નેસ વાડિયા વિશે થઈ રહી છે, જે IPL ઓક્શનમાં જોવા મળે છે. અહીં ટીમના માલિક વિશે વાત કરી રહ્યા છીએ. જેમને IPL ફાઈનલમાં હાર્યા પછી પણ 1400 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી. તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સના અસલી માલિક કોણ છે? અને ટીમની હાર પછી તેમને 1400 કરોડ રૂપિયા કેવી રીતે કમાયા?
PBKSના અસલી માલિક કોણ છે?
પંજાબ કિંગ્સમાં ઘણા લોકોનો શેરહોલ્ડિંગ છે. જેમાં નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને અન્ય બીજા ઘણા લોકોના નામ જોવા મળે છે. પરંતુ એક ગ્રુપ એવું પણ છે જેના પ્રોડક્સનો ઉપયોગ દેશના દરેક વ્યક્તિ કરે છે. આ વાત ડાબર ગ્રુપ વિશેની છે. જેનો PBKSમાં 48 ટકા હિસ્સો છે. ડાબર ગ્રુપના ચેરમેનનું નામ મોહિત બર્મન છે, જે ફ્રેન્ચાઈઝીમાં સૌથી મોટા શેરહોલ્ડર છે. અન્ય કો-ઓનર્સની વાત કરીએ તો, તેમાં વાડિયા ગ્રુપના નેસ વાડિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે 23 ટકા હિસ્સો છે અને બોલીવુડની ફેમસ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાનો પણ ટીમમાં 23 ટકા હિસ્સો છે; આ સિવાય કરણ પોલ પાસે બાકીનો 6 ટકા હિસ્સો છે.
આ કંપનીના શેરમાં થયો ઉછાળો
પંજાબની હાર બાદ પણ IPL ફાઈનલમાં ડાબરના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આંકડાઓની વાત કરીએ તો, કંપનીનો શેર 1.45 ટકાના વધારા સાથે 492.55 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે શેરબજાર બંધ થવાના થોડા સમય પહેલા, કંપનીનો શેર 493.55 રૂપિયા સાથે દિવસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો. કંપનીનો શેર 486.55 રૂપિયા પર ખુલ્યો હતો. એક સમયે કંપનીનો શેર 484.75 રૂપિયાના દિવસના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. એક દિવસ પહેલા, કંપનીનો શેર 485.50 રૂપિયા પર બંધ થયો હતો. 17 સપ્ટેમ્બર 2024 ના રોજ, ડાબરનો શેર 672 રૂપિયાના 52 અઠવાડિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો.
14000 કરોડથી કરી વધુ કમાણી
ખાસ વાત એ છે કે IPL ફાઈનલમાં હાર્યા પછી પણ પંજાબ કિંગ્સના વાસ્તવિક માલિકોએ શેરબજાર બંધ થાય તેની થોડી મિનિટો પહેલા 1400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ડાબરની માર્કેટ કેપમાં વધારો થયો છે. BSE ના ડેટા મુજબ ડાબરનું માર્કેટ કેપ એક દિવસ પહેલા 86,112.65 કરોડ રૂપિયા હતું, જે બુધવારે વધીને 87,540.48 કરોડ રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે કંપનીના માર્કેટ કેપમાં 1,427.83 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.