ઈન્ડિયન પ્રીમિયર લીગને અત્યાર સુધી સાત અલગ-અલગ ચેમ્પિયન ટીમ મળી મૂકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે પાંચ-પાંચ વાર આઈપીએલ ટ્રોફી જીતી છે. આઈપીએલની ટ્રોફીની ડિઝાઈન ખૂબ જ અનોખી છે, જે કોઈ વર્લ્ડકપ ટ્રોફી જેવી જ લાગે છે.
એવું હોય પણ કેમ નહીં, આઈપીએલ દુનિયાની સૌથી અમીર લીગમાંથી એક છે. 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સમાંથી કોઈ એક ટીમ ઈતિહાસ રચીને ટાઈટલ જીતશે. આ પહેલા IPL 2025ને વિનર મળે, તે પહેલા તમને જણાવી દઈએ કે આઈપીએલ ટ્રોફીની કિંમત શું છે?
આઈપીએલ ટ્રોફીની શું છે કિંમત?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્યારેય આઈપીએલ ટ્રોફીની સાચી કિંમત જાહેર કરી નથી. આઈપીએલ ચેમ્પિયનને જે ટ્રોફી મળે છે, તે ઓરા નામની જ્વેલરી કંપની ડિઝાઈન કરે છે. ઓરા કંપની 2008થી જ આ આઈપીએલ ટ્રોફી બનાવે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ આઈપીએલ ટ્રોફીની કિંમત 30-50 લાખ રૂપિયા બતાવવામાં આવી છે.
સંપૂર્ણ આઈપીએલની ટ્રોફી સોનું અને ચાંદીથી નથી બનતી. તેને સોના, ચાંદી અને એલ્યૂમિનિયમ સહિત અન્ય ઘણી ધાતુઓને ભેગાં કરીને બનાવવામાં આવે છે. ટ્રોફી પર ગોલ્ડ પોલિશ કરવામાં આવે છે, જેથી તેને ચમકદાર લુક મળે છે. આ ટ્રોફી જેને પણ મળે છે, તે ટીમ માટે આ મોટી ઉપલબ્ધિ છે અને તે ટીમ પોતાના ટ્રોફી કેબિનેટમાં સજાવીને રાખે છે. આ રમત જગતમાં સૌથી મોટી ટ્રોફીમાંથી એક ગણવામાં આવે છે.
IPL 2025ની ટ્રોફી કોને મળશે?
આઈપીએલ 2025ની ફાઈનલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. RCB અને પંજાબની ટીમ, અત્યાર સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતી શકી નથી. તેથી 2025માં IPLને કુલ આઠમો ચેમ્પિયન મળશે તે નક્કી છે. બેંગ્લુરુને અત્યાર સુધી પોતાની ત્રણ ફાઈનલમાં હાર મળી છે, જ્યારે પંજાબે પણ અત્યાર સુધી પોતાની એકમાત્ર ફાઈનલમાં હાર મળી હતી. આ મેચમાં વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને જોશ હેઝલવુડ જેવા નામી ખેલાડીઓ પર ફેન્સની નજર રહેશે.