IPL 2025ની ફાઈનલ માટે સ્ટેજ તૈયાર છે. ટાઈટલ મેચ 3 જૂને પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પંજાબના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રમશે કે નહીં તે અંગે શંકા છે.
આ માટે એક ખાસ કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ સિઝનમાં હેટ્રિક લેનાર યુઝવેન્દ્ર ચહલ ઈજાને કારણે કેટલીક મેચ રમી શક્યો ન હતો. ક્વોલિફાયર-2માં તે પરત ફર્યો, પરંતુ તે તેના બેસ્ટ ફોર્મમાં જોવા મળ્યો ન હતો. તેને 4 ઓવરમાં 39 રન આપીને માત્ર એક જ વિકેટ લીધી. ફાઈનલમાં તેની રમવાની શક્યતાઓ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.
યુઝવેન્દ્ર ચહલની જગ્યા કોણ લેશે?
પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે સારો નથી. RCBના કેપ્ટન રજત પાટીદાર યુઝવેન્દ્ર ચહલના બોલને ખૂબ સારી રીતે રમે છે. તેને યુઝવેન્દ્ર ચહલના 27 બોલમાં 40 રન બનાવ્યા છે, પરંતુ તે બે વાર આઉટ થયો છે, પરંતુ તેને ઝડપથી રન પણ બનાવ્યા છે. એવી શક્યતા છે કે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ હરપ્રીત બ્રારને ટીમમાં સામેલ કરવામાં આવે.
ફાઈનલ મેચ નહીં રમે ચહલ?
હરપ્રીત બ્રારના બોલ સામે રજત પાટીદાર સંઘર્ષ કરતો IPLમાં જોવા મળ્યો છે. તેને હરપ્રીત બ્રારના 18 બોલનો સામનો કર્યો છે, જેમાં તેને ફક્ત 21 રન બનાવ્યા છે. આ દરમિયાન તે એક વાર આઉટ પણ થયો છે. હરપ્રીત બ્રાર બેટિંગ પણ કરે છે. આ સિવાય વિરાટ કોહલી પણ વચ્ચેની ઓવરોમાં સ્પિનરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. હરપ્રીત બ્રાર તેને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પરિસ્થિતિમાં એવી સંભાવના છે કે યુઝવેન્દ્ર ચહલ ફાઈનલ મેચમાંથી બહાર થઈ શકે છે.
બે ટાઈટલ મેચમાં હાર્યા છે યુઝવેન્દ્ર ચહલ
IPLમાં યુઝવેન્દ્ર ચહલ અલગ અલગ ટીમોમાંથી બે વાર ફાઈનલ મેચ રમી ચૂક્યો છે અને તેની ટીમ બંને મેચમાં હારી ગઈ છે. તેને વર્ષ 2016 માં RCB માટે અંતિમ મેચ રમી હતી. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 8 રને હરાવ્યું હતું. આ મેચમાં ચહલે 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી.
રાજસ્થાન તરફથી ફાઈનલ પણ રમી ચૂક્યો છે યુઝવેન્દ્ર ચહલ
આ પછી વર્ષ 2022માં રાજસ્થાન રોયલ્સ ટાઈટલ મેચ સુધી પહોંચી હતી. તે વર્ષે યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન ટીમમાં હતો. ટાઈટલ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી. તેને 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી. હવે ત્રીજી વખત યુઝવેન્દ્ર ચહલની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આવામાં યુઝવેન્દ્ર ચહલ આ મેચ રમશે કે નહીં તે 3 જૂને જ મેચ પહેલા ખબર પડશે.