IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ RCB અને KKR વચ્ચે રમાશે. આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ તેમના નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. LSG એ આગામી સિઝન માટે રિષભ પંતને જવાબદારી સોંપી છે. IPL 2025 પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિષભ પંતને એક ખાસ ભેટ આપી છે, જેની તસવીર સામે આવી છે.
રિષભ પંતને મળી ગિફ્ટ
સીઝનની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના લગભગ તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિક સંજીવ ગોએન્કા યોગી આદિત્યનાથને મળ્યા હતા, જેની તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કેપ્ટન રિષભ પંતને એક ખાસ ભેટ પણ શેર કરી.
રિષભ પંતે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેને ગિફ્ટનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો. પંતને ભગવાન રામની પ્રતિમા ગિફ્ટ તરીકે મળી છે.
રિષભ પંત માટે નવી ચેલેન્જ
ઘણા વર્ષો સુધી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરનાર પંત હવે LSGનું નેતૃત્વ કરશે કારણ કે તેને આગામી સીઝન માટે 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને LSG ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. પંત આઈપીએલમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ આ વખતે તેના માટે એક નવી ચેલેન્જ છે. ગયા સિઝનમાં, પંતે 13 મેચમાં 40.54 ની પ્રભાવશાળી એવરેજથી 446 રન બનાવ્યા હતા જેમાં 3 અડધી સદીનો પણ સમાવેશ થતો હતો.
જો આપણે પંતના IPL કરિયર પર નજર કરીએ તો તેને અત્યાર સુધીમાં 111 મેચોમાં 35.31 ની એવરેજથી 3284 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 1 સદી સિવાય તેને 18 અડધી સદી ફટકારી છે.
પરંતુ રિષભ પંતને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ટીમ મેનેજમેન્ટે કેએલ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેને રમેલી 5 મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. આ કારણે પંતને બેન્ચ પર બેસવું પડ્યું.


