IPLમાં ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓની સાથે ચીયરલીડર્સ અને અમ્પાયરોની પણ મોટી ભૂમિકા હોય છે. પણ શું તમે જાણો છો IPLમાં ચીયરલીડર્સ અને અમ્પાયરોનો પગાર કેટલો મળે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ માત્ર એક ટુર્નામેન્ટ નથી પણ એક બિઝનેસ મોડેલ પણ છે. આ રમતમાં ટીમ માલિકોની સાથે ખેલાડીઓ પણ કરોડો રૂપિયા કમાય છે. ચીયરલીડર્સ અને અમ્પાયરોને પણ ઘણા પૈસા મળે છે. ટીમના ખેલાડીઓની હરાજી કરવામાં આવે છે. જે દર્શાવે છે કે તેમને કેટલી રકમ મળશે.
એક IPL મેચ માટે ચીયરલીડરનો પગાર
IPL મેચો દરમિયાન જ્યારે ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવે છે અથવા જ્યારે કોઈ ટીમ વિકેટ ગુમાવે છે. ત્યારે ચીયરલીડર્સ પોતપોતાની ટીમોને ટેકો આપતા જોવા મળે છે. બધી ટીમોના ચીયરલીડરોનો પગાર અલગ અલગ હોય છે. બધી ફ્રેન્ચાઇઝી પોતાની સુવિધા અનુસાર પોતાનો પગાર નક્કી કરે છે. ચીયરલીડર્સ એક IPL સીઝનમાંથી 2 થી 4 લાખ રૂપિયા કમાઈ શકે છે. IPLમાં, એક ટીમ તેના ચીયરલીડર્સને એક મેચ માટે લગભગ 14 હજાર રૂપિયા ચૂકવે છે. કેટલીક ટીમો તો 24 હજાર રૂપિયા સુધી આપે છે. આ રીતે, ચીયરલીડર્સને ટીમના આધારે અલગ અલગ રકમ મળે છે.
અમ્પાયરને મળે છે આટલા પૈસા
અમ્પાયરનું કામ મેચને યોગ્ય રીતે ચલાવવાનું છે અને તેઓ મેચમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ચીયરલીડર્સ કરતાં અમ્પાયરો પાસે વધુ કામ હોય છે અને તેથી તેમનો પગાર પણ વધારે હોય છે. IPL 2019ના સૌથી પ્રખ્યાત અમ્પાયર જવાગલ શ્રીનાથને 52.45 લાખ રૂપિયા મળ્યા. મનુ નાયરને આઈપીએલમાં અમ્પાયરિંગ માટે પહેલાથી જ 41.96 લાખ રૂપિયા મળી ચૂક્યા છે. IPL મેચમાં, પહેલા અમ્પાયરના નિર્ણયને બદલવા માટે રિવ્યુ પણ લઈ શકાય છે. જેને DRS કહેવામાં આવે છે. ત્રીજા અમ્પાયર ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય જણાવે છે.


