ઈરાન અને ઈરાયલ વચ્ચે યુદ્ધ આઠમાં દિવસે પણ ચાલુ છે. બંને દેશ એક બીજા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે મોડી રાત્રે ઈરાની સૈન્ય ટેકાણાઓ પર હુમલા કર્યા છે. આ હુમલામાં ઘણા ઈરાન સૈન્યની મૃત્યુની જાણકારી મળી છે. મળતી માહિતી પ્રમાણે ઈરાન ફરીથી અહીં હુમલાઓ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. જેને ઈઝરાયલી સેનાએ તબાહ કરી નાખ્યું. જો સ્થિતિ આ જ રહી તો યુદ્ધ એક નવુ સ્વરુપ લઈ શકે છે.
છેલ્લા 7 દિવસથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. આ બંને દેશ વચ્ચે એક લાંબા સમયથી અનેક બાબતો પર સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલ આ ઘમાસન યુદ્ધમાં બંને દેશો નમતું મૂકવા તૈયાર નથી અને બંને દેશો એક બીજા પર સતત મિસાઇલોનો મારો ચલાવી રહ્યા છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જામેલું આ યુદ્ધ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ હજારો નિર્દોષ લોકો બંને દેશો વચ્ચે પિસાઈ રહ્યા છે ત્યારે તેમના નેતાઓ દ્વારા લોકોને હિંમત રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તેલ અવીવ પરના હુમલા પછી, ખામેનીએ કહ્યું, “જો તમે ડરશો, તો દુશ્મન તમને છોડશે નહીં”. ઇઝરાયલના આ હુમલા પછી ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ઇઝરાયલે ખામેનીના અસ્તિત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
ઇરાને ઇઝરાયલના સોરોકા હોસ્પિટલ અને ઇઝરાયલી સ્ટોક એક્સચેન્જ પર એ હદના ઘાતક મિસાઇલ હુમલા કર્યા કે હાલ ઇઝરાયલ એકદમ સ્તબ્ધ થઈ ગયું છે. આ હુમલા બાદ ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝેનું એક ખુબજ મોટું અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ત્ઝે કહ્યું છે કે “ખામેનીએ હવે અસ્તિત્વમાં રહેવું જોઈએ નહીં. કારણ કે ઇરાને મિસાઇલ હુમલામાં ઇઝરાયલી હોસ્પિટલને નિશાન બનાવી છે. ઇરાને ઇઝરાયલની હોસ્પિટલને નિશાન બનાવી ડઝનેક મિસાઇલો મારી છે “.