ઇરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકીથી ચીન અને ભારતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જળમાર્ગ વૈશ્વિક તેલ વેપારનો મહત્વપૂર્ણ ભાગ છે. બંને દેશ પોતાની ઉર્જા શક્તિ માટે આના પર નિર્ભર છે. ચીન અને ભારતે તણાવ ઓછો કરવા માટે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી ભારત અને ચીનને મોટા પાયે અસર કરી શકે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી
ઇરાના સાંસદ ઇસ્માઇલ કોસરીએ જણાવ્યુ હતુ કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવા માટે ઇરાન વિચાર કરી રહ્યુ છે. ઇરાન અગાઉ પણ આ માર્ગ બંધ કરવાની ધમકી આપી ચુક્યુ છે. ઇરાન ઇઝરાયલ સાથેની સ્થિતિ બગડ્યા બાદ આ પગલું લઇ શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થશે તો તેલની કિંમતમાં ભડકો જોવા મળશે. અને યુદ્ધની પરિસ્થિતિ પેદા થશે. આ વેપારનીતિ માટે મહત્ત્વનો ભાગ છે. દુનિયાનું 20 ટકા ઓઇલ આ માર્ગેથી આવે છે. પરંતુ ભારત અને ચીન માટે આ ખૂબ જ મહત્ત્વનું છે.
ભારતમાં ચિંતા વધી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી ભારતને નુકસાન થઇ શકી છે. કારણ કે ભારતનો 50 ટકા LNG અને ઓયલ ઇમ્પોર્ટ પણ આ માર્ગે જ થાય છે. ચીન પણ આ જ માર્ગે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. જો આ માર્ગ બંધ થશે તો અન્ય સ્થળો ભારત અને ચીને શોધવા પડશે. જે વધુ ખર્ચાળ હોઇ શકે છે. માત્ર આયત જ નહી નિકાસ માટે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મહત્ત્વની કડી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અરેબિયન સમુદ્રને પરશિયન સમુદ્ર સાથે જોડે છે.
ચીન અને ભારતનો ઇરાનને આગ્રહ
ચીને ઇરાન ઇઝરાયલના હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. બન્ને દેશે પરિસ્થિતિ શાંત કરવા માટે આગ્રહ કર્યો છે. તો ભારતે પણ પોતાના પ્રયાસ શરુ કર્યા છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે થઇ રહેલા ઘર્ષણને શાંત કરવા માટે ભારતે વાતચીતને પ્રસ્તાવ મુક્યો છે. અને વધી રહેલી મુશ્કેલીઓ સામે ચિંતા વ્યક્ત કરી છે. ભારત અને ચીને ઇરાન અને ઇઝરાયલ માટે વાતચીત અને કૂટનીતિને પ્રાથમિકતા આપવા માટે કહ્યુ છે.