- ઈરાનના સૈન્યએ બુધવારે ઈસ્માઈલ હાનિયા હણાયાની પુષ્ટિ કરી
- હમાસના વડા ઈસ્માઈલ હાનિયાએ ગત વર્ષે ઈઝરાયલમાં હુમલાની યોજના બનાવી હતી
- ઈઝરાયલે નવ મહિના પછી ઈરાનમાં ઘુસીને હાનિયાને મોતને ઘાટ ઉતાર્યો
ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન આતંકી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો અંત થઈ ગયો છે. હાનિયાનું મોત ઈરાનની રાજધાની તહેરાનમાં થયું છે. એક મિસાઈલ હુમલામાં ઈસ્માલ હાનિયા હણાયો છે. તે તહેરાનમાં રોકાયો હતો. મિસાઈલ હુમલો બુધવારે સવારે થયો હતો. આ મિસાઈલ હુમલામાં હાનિયા અને તેના બોડીગાર્ડ પણ મોત થયું છે. હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિના શપથ સમારોહમાં હાજર થવા તહેરાન ગયો હતો.
કોણ હતો ઈસ્માલ હાનિયા
ઈસ્માઈલ હાનિયા આતંકવાદી સંગઠન હમાસનો નેતા હતો. તે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથ ગ્રહણ માટે ઈરાન આવ્યો હતો. હાનિયાના ત્રણ દીકરા હતા જે આ વર્ષે એપ્રિલમાં એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા. જ્યારે ગત મહિને તેની બહેનનું પણ મોત થયું હતું.
ઈસ્માલ હાનિયાનો જન્મ વર્ષ-1962માં ગાઝા પટ્ટીના અળ-શતી શરણાર્થી શિબિરમાં થયો હતો. તેને ગાઝા ઈસ્માલિક યુનિવર્સિટીમાં અરબી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. અને તે હમાસ સાથે જોડાઈ ગયો હતો. વર્ષ-2006માં હમાસની ચૂંટણી જીત્યા પછી સંગઠનનો નેતા બન્યો હતો. જ્યારે હમાસે પેલેસ્ટાઈન વિઘાનસભા ચૂંટણીમાં બહુમતથી બેઠકો જીતી હતી.
હાનિયા ગાઝામાં આવેલા નિવાસને આતંકવાદી પાયાના માળખાના રૂપમાં ઉપોયગ કરવામાં આવતો હતો. નવેમ્બરમાં આઈડીએફના હવાઈ હુમલામાં તે પ્રભાવિત થયો હતો. સામાન્ય રીતે હાનિયા કતારમાં રહેતો હતો. હાનિયાના મોત પર ઈઝરાયલના મંચ્રીએ જણાવ્યું કે વિશ્વમાં ઘણે હદ સુધી સારું થશે. તેઓએ જણાવ્યું કે દુનિયા આ ગંદગીને સાફ કરવાનો આ યોગ્ય રીત છે. તેઓએ કહ્યું કે આ નશ્વર લોકો માટે કોઈ દયા નહીં.


