- સીરિયા પર ઈઝરાયલે રોકેટથી કરી એર સ્ટ્રાઈક
- સીરિયાના 2 મોટા એરપોર્ટ પર કર્યો હુમલો
- ઈરાનથી આવેલા હથિયારો કર્યા ધ્વસ્ત
ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ વિનાશક બની રહ્યું છે. તેવામાં ઈઝરાયલે હવે તેના દુશ્મન દેશોને નિશાન બનાવવાનું શરું કર્યું છે. ગુરુવારે ઈઝરાયલે સીરિયાના 2 મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાઈલના રોકેટમારમાં આ 2 મોટા એરપોર્ટને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે.
ઈઝરાયલે એર સ્ટ્રાઈક કરવાનું શું છે કારણ?
મળતી માહિતી મુજબ સીરિયાના 2 મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનથી હથિયારો આવ્યાં હોવાની ઈઝરાયલને આશંકા હતી. આ હથિયારો ઈઝરાયલ સામે લડવા હમાસને અપાવાના હતા અને આ વાતની ઈઝરાયલને ખબર પડી જતાં તેણે તાબડતોબ એર સ્ટ્રાઈક કરીને હથિયારોને ઉડાવી મૂક્યાં હતા.
સીરિયાની સૈનિકોએ વળતો પ્રહાર કર્યો
સીરિયાની સેનાએ આ બંને હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલેપ્પો એરપોર્ટ પર ઇઝરાઇલી હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. જાણવા મળી રહ્યું છે કે, ઈઝરાયલે સીરિયાના 2 મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાઈલના રોકેટમારમાં આ 2 મોટા એરપોર્ટને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. જેના પગલે અજરાયેલ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
યુદ્ધ મેદાનમાં સૈનિકોની નવી રણનીતિ
ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો છઠ્ઠો દિવસ છે તેવામાં 20 ઓક્ટોબરના રોજ, પેલેસ્ટાઇનના સશસ્ત્ર જૂથ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા શરૂ કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને તેમને ઇઝરાયેલ સામે લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 5 મિનિટમાં 5 હજાર રોકેટ છોડ્યાં હતા અને ત્યાર બાદ હમાસના આતંકીઓ ઈઝરાયલમાં ઘુસી ગયા હતા.
ગાઝામાં મૃત્યુઆંક 1200ને પાર
ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધએ વિનાશ વેતર્યો છે. અનેક લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો બેઘર છે. આ સાથે એવા પણ લોકો છે જે યુદ્ધની સ્થિતિમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે. આ યુદ્ધની સ્થિતિ અતિ દયનીય થઇ ગઇ છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે.
ઈઝરાયેલથી ભારતના નાગરિકોને સુરક્ષિત લાવવા માટે ઑપરેશન અજય શરૂ
ભારતે પોતાના નાગરિકોને ઈઝરાયેલથી ભારતમાં સુરક્ષિત લાવવા માટે ઑપરેશન અજય શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પ્રથમ ચાર્ટર ફ્લાઈટ ગુરૂવારે સાંજે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ શહેરમાં પહોંચશે. પહેલી ટ્રિપમાં કુલ 230 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ આ અંગેની વિગતવાર જાણકારી આપી હતી. તારીખ 11 ઑક્ટોબરના રોજ ઑપરેશન અજયનું એલાન કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે સમગ્ર પ્લાન અંગે છણાવટ કરી હતી.
ઈઝરાયેલ પર સતત વૉચ
તેલ અવીવ શહેર સુધી ફ્લાઈટ પહોંચ્યા બાદ પણ ઈઝરાયેલની સ્થિતિ પર સતત વૉચ રાખવામાં આવશે. તારીખ 13 ઑક્ટોબરના રોજ આ ફ્લાઈટ ભારતીયોને લઈને પરત આવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં અમે ઈઝરાયેલના તમામ પગલાં પર નજર રાખી રહ્યા છીએ. ત્યાં જે ભારતીયો છે એને કોઈ જ પ્રકારની ઈજા થઈ નથી. અત્યારે ત્યાં 18000 જેટલા ભારતીયો છે. ઘણા વિસ્તારોમાં ઘર્ષણ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ એક મોટો પડકાર છે. ભારતીયોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ આ મિશન સંબંધી કેટલીક ગાઈડલાઈન્સને ફોલો કરે.
દરેક રીપોર્ટ મોદીને જશે
વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની સ્થિતિ જોઈને આ ઑપરેશન લૉંચ કર્યું હતું. એ પહેલા તેમણે ઈઝરાયેલના વડા બેંજામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. એ પછી આ નિર્ણય લેવાયો છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીય દૂતાવાસે સ્થિતિને ધ્યાને લઈને એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દીધો છે. કંટ્રોલરૂમમાંથી સતત વણસતી જતી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર ઑપરેશન શરૂ થાય એ પહેલા વિદેશમંત્રી જયશંકરે સમગ્ર સ્થિતિની ચર્ચા કરી હતી. એ પછી સ્થિતિની સમીક્ષા કરીને આખું ઑપરેશન નક્કી કર્યું હતું. જેના રીપોર્ટ વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા હતા.