શુક્રવારે રાત્રે ઇરાનથી નવી દિલ્હી 1 હજાર ભારતીય નાગરિકો પહોંચશે. ભારતીય નાગરિકોને ઇરાનથી દિલ્હી લાવવા માટે મશહદથી એર ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે. ઇરાનના જ વિમાનથી ભારતીયો વતન પરત ફરશે.
ઇઝરાયલ-ઇરાન વચ્ચે જબરદસ્ત યુદ્ધ
ઇરાનના એક સ્થાનિક અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું કે જે ભારતીયો ઇરાન છોડીને જવા માગે છે તેમના માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યસ્થા કરવામાં આવી છે. અધિકારીએ એ વાત પર ભાર આપ્યો કે ક્ષેત્રિય તણાવ વચ્ચે ઇરાન ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગે છે.
ભારતીયોને મોકલશે દિલ્હી
ઇરાન તરફથી આ વ્યવસ્થા ત્યારે કરવામાં જ્યારે બે દિવસ પહેલા ભારત સરકારે ઓપરેશન સિંધુની શરૂઆત કરી. આ ઓપરેશન હેઠળ ભારત સરકારે ઇરાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવી રહી છે. ઇઝરાયલે વધતા સૈન્ય હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમ પર પહોંચ્યો છે. ઇરાને ભારતને અપીલ કરી છે કે તેઓ ઇઝરાયલ તરફથી થઇ રહેલા હુમલાની નિંદા કરે. ઇરાને કહ્યું કે જો ભારત એવુ નહી કરે તો તે હુમલો કરનારને પ્રોત્સાહન આપશે.
ભારત સરકારે શરૂ કર્યુ ઓપરેશન સિંધુ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ પર સમગ્ર દુનિયાની નજર છે, આ સંકટની વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલા ભર્યા છે. ભારતે ઓપરેશન સિંધુ શરૂ કરી દીધું છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાનો છે. વિદેશ મંત્રાલય મુજબ આ ઓપરેશનના પ્રથમ સ્ટેજમાં 17 જૂને 110 ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ભારત સરકારે ઈરાન અને આર્મીનિયાની સરકારનો આભાર વ્યક્ત કર્યો
ભારતીય દુતાવાસની નજરમાં આ વિદ્યાર્થીઓ આર્મીનિયાની રાજધાની યેરેવન પહોંચ્યા, ત્યારબાદ 18 જૂને બપોરે 2.55 વાગ્યે એક સ્પેશિયલ પ્લેનથી યેરેવનથી નવી દિલ્હી માટે રવાના થયા, જે 19 જૂનની સવારે ભારત પહોંચશે.ભારત સરકારે આ સફળ મિશન માટે ઈરાન અને આર્મીનિયાની સરકારોનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત સરકાર વિદેશમાં રહેતા પોતાના નાગરિકોની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપે છે અને દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન કરે છે કે તમામ ભારતીય સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત પહોંચે.
ભારતીય દુતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો
તેહરાનમાં ભારતીય દૂતાવાસ સતત ભારતીય નાગરિકોની મદદ કરી રહ્યું છે. દૂતાવાસ તણાવભર્યા વિસ્તારથી લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જઈ રહ્યું છે અને ઝડપી આ તમામ લોકોને ભારત મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે. તેના માટે દૂતાવાસે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સાથે જ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે 24/7 કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. જે ભારતીયોની મદદ માટે દિવસ-રાત કામ કરી રહ્યો છે. ઈરાનમાં રહેતા ભારતીયોને અપીલ કરવામાં આવી છે કે તે કોઈ પણ ઈમરજન્સીમાં દૂતાવાસની હેલ્પલાઈન અથવા નવી દિલ્હીના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરે.